AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ

Banaskantha News: રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે લોકો વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ અછવાડિયા ગામના દિલીપ રાજપૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

Banaskantha: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ
દિયોદરની મહિલાએ બે વ્યાજખોર સામે નોંધાવી પોલીસ ફરિયાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 11:52 AM
Share

બનાસકાંઠાના દિયોદરમાં વ્યાજખોરોનો ત્રાસ હોવાની એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ બે વ્યાજખોરો સામે પોલીસમાં અરજી કરી છે. મહિલાએ વ્યાજખોરોએ પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વ્યાજખોરોએ પીડિત મહિલા અને તેના પતિને દિયોદર છોડી દેવાની ધમકી આપી છે. દિયોદર પોલીસે બંને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે લોકો વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ અછવાડિયા ગામના દિલીપ રાજપૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તો કુંવાણા ગામના ભરત રાજપૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે.

ધંધામાં નુકસાન થતા મહિલાએ 50 હજાર રુપિયા વ્યાજે લીધા હતા. જે પછી 2.10 લાખ પરત આપવા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. ત્યારે વ્યાજખોરોએ સતત ઉઘરાણી કરતા અને ધમકીઓ આપતા મહિલાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.

મહત્વનું છે કે આ પહેલા અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી ખાતે રહેતા ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી. મળતી માહિતી અનુસાર મહિલા વ્યાજખોરે ભરત વણઝારાને માસિક પાંચ ટકાના ઊંચા વ્યાજ દરે નાણા ધીર્યા હતા. જેમાં 2 લાખની સામે 1.77 લાખ વસૂલ કર્યા હતાં. છતા પણ તે પીડિત પાસે ચેક રિટર્ન કરવાની ધમકી આપતી હતી.

આ અંગે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે મહિલા વ્યાજખોર વારંવાર તેમના ઘરે આવતી હતી અને તેમને ડરાવતી ધમકાવતી હતી. જેની ધમકીઓથી પરેશાન થઈને અંબાજીના પીડીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંબાજી પોલીસ દ્વારા મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ હજી ધરપકડ કરવામાં આવી નથી.

વિવિધ જિલ્લામાં પોલીસની અસરકારક કામગીરી

રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે, જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87 લાખ લઈ લીધા તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઈ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">