AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઇ

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થશે. અંબાજીના શક્તિદ્વારથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી અને વિધિવત મેળાનો શુભારંભ કરાશે. આ મેળામો શુભારંભ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરુણકુમાર બરનવાલના વરદહસ્તે કરવામાં આવશે, છેલ્લા ઘણા દિવસથી યાત્રિકો પગપાળ અંબાજી પહોંચી રહ્યા છે.

Banaskantha : યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 9:25 AM
Share

Banaskantha : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થશે. અંબાજીના શક્તિદ્વારથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી અને વિધિવત મેળાનો શુભારંભ કરાશે. આ મેળાનો શુભારંભ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરુણકુમાર બરનવાલના વરદહસ્તે કરવામાં આવશે, છેલ્લા ઘણા દિવસથી યાત્રિકો પગપાળ પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો-Surat Video : BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને કરાઈ બ્લેકલિસ્ટ, સ્થાયી સમિતિએ અધિકારીઓ પાસે મંગાવ્યો રિપોર્ટ

યાત્રિકો સંઘ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. દાંતા-અંબાજી રોડ પર માતાજીનો રથ ખેંચી ‘જય અંબે’નો જયકારો લગાવી મેળાની વિધિવત્ શરૂઆત કરાશે. તે બાદ અંબાજી મંદિર શક્તિદ્વાર સામે સર્કિટ હાઉસની બાજુમાં માહિતી ખાતાના પ્રદર્શનનું ઉદઘાટન કરાશે. મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજીમાં ઉમટી પડશે.

બીજી તરફ મેળાની સલામતીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીકોનો વીમો લેવામાં આવ્યો છે. એસ.ટી બસ સુવિધા માટે 1000 જેટલી  બસ,  જેનું જુદાં જુદાં 10 બૂથો પરથી સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યુ છે. તો લોકોના સ્વાસ્થય અને સુરક્ષાની પણ કાળજી રખાશે.

શું છે અંબાજીમાં ખાસ સુવિધાઓ ?

ભાદરવી પૂનમના મેળાને લઇને મંદિરની 20 કિમીની ત્રિજ્યામાં પદયાત્રીકોનો 8 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. તો યાત્રિકો માટે 11 લોકેશન પર 108ની ટીમ તહેનાત કરવામાં આવી છે. 50 તાલીમબધ્ધ કર્મચારીઓ વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. ભક્તોના અવરજવર માટે 1 હજાર જેટલી એસટી બસની સુવિધા છે. બાળકો, વડીલો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા રાખવામાં આવી છે. 150 જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા રાખવામાં આવી છે.

મંદિર પરિસરની બહાર પ્રસાદ વેન્ડિંગ મશીન રાખવામાં આવ્યા છે. જેમાં 30 રૂપિયામાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભક્તો ડિજિટલ પેમેન્ટથી સીધા જ પ્રસાદ ખરીદી શકશે અને ભક્તોને મા અંબાનો નાનો ફોટો આપવામાં આવશે.

માઈભક્તોને લોખંડી સુરક્ષા કવચ !

અંબાજીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 22 સેકટર અને 484 પોઈન્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઘોડેસવાર પોલીસ સહિત 6500 જેટલા સુરક્ષા કર્મીઓ તહેનાત છે. સુરક્ષા વિભાગ રાઉન્ડ ધ કલોક ફરજ પર છે. અંબાજીથી માંડી દાંતા, આંબાઘાટ સુધી પોલીસ જવાન તહેનાત છે. હડાદથી માંડી ગબ્બર સુઘી લોખંડી સુરક્ષા કવચ ગોઠવાયો છે.

 બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
g clip-path="url(#clip0_868_265)">