AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાના આ ગામમાં બિપરજોય વાવાઝોડા બાદ હજુ સુધી નથી ઓસર્યા પાણી, આગામી બે સિઝનની ખેતી નિષ્ફળ જવાની ભીતિ

ડીસા તાલુકાના પેછડાલ, શેરપુરા સહિતના ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી અને જેને લઈને ખેડૂતોને પરેશાન છે. પેછડાલ ગામે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે.

બનાસકાંઠાના આ ગામમાં બિપરજોય વાવાઝોડા બાદ હજુ સુધી નથી ઓસર્યા પાણી, આગામી બે સિઝનની ખેતી નિષ્ફળ જવાની ભીતિ
Banaskantha Farmer
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 8:35 AM
Share

Banaskantha: બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર અને ભારે વરસાદને કારણે રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બનાસકાંઠામાં (Banaskantha) અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ડીસા તાલુકાના પેછડાલ, શેરપુરા સહિતના ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી અને જેને લઈને ખેડૂતોને પરેશાન છે. પેછડાલ ગામે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે કારણ કે ઘૂંટણ સમા પાણીમાં ચાલવું મુશ્કેલ છે. જો આ વરસાદના પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે.

આ પણ વાંચો બનાસકાંઠાના કાંકરેજમાં થરા નેશનલ હાઇવે પર અકસ્માત, ત્રણના મોત, જુઓ Video

વર્ષ 2015 અને 2017માં પણ પેછડાલ ગામની આ પરિસ્થિતિ થઈ હતી. દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણીથી પેછડાલ ગામમાં આ પરિસ્થિતિ સર્જાય છે અને પાણી ઓસર્તા નથી. આ વર્ષે પણ આ ગામમાં આવી જ પરિસ્થિતિ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતો આગામી સિઝનનો પોતાનો પાક લઈ શકશે નહીં. અત્યારે ખેડૂતોને વાવણીની સિઝન છે પાણી ઓસર્યા નથી તો વાવેતર કેવી રીતે કરવું એ પણ એક મોટો પ્રશ્ન છે. 15 જેટલા ખેડૂત પરિવારો પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલની માંગણી છતાં કોઈ નક્કર પગલાં નહિ

પેછડાલ ગામે ખેડૂતોની વર્ષોથી રજૂઆત છે કે આ પાણીનો નિકાલ થાય અને દર વર્ષે પાણી ન ભરાય તો ખેતી થઈ શકે અને ખેડૂતોનું જીવન પણ ચાલી શકે, પરંતુ ગામમાં પરિસ્થિતિ એ છે કે પાણીના નિકાલ માટેની જગ્યામાં આડબંધ અથવા દબાણ કરી રહ્યા છે અને જેને લઈને પાણીનો નિકાલ થતો નથી. જેને કારણે મુશ્કેલી થઈ રહી છે. જો પાઇપલાઇન દ્વારા પેછડાલ ગામથી એક કિલોમીટર દૂર તળાવમાં આ પાઇપલાઇન નાખવામાં આવે તો આ પાણીનો મહદ અંશે નિકાલ થઈ શકે છે અને ખેડૂતોને રાહત થઈ શકે છે.

સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ પેછડાલ ગામે જઈ ખેડૂતોને માત્ર હૈયા ધારણ આપી છે, પરંતુ કોઈ નક્કર કામ થયું નથી. છેલ્લા દસ વર્ષથી આ માગણી છે પાણીની પરંતુ એ હજુ પૂરી નથી થઈ અને ખેડૂતો દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે. છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલની માંગણી છે અને તંત્ર પાસે પણ દરખાસ્તો પડી છે, પરંતુ તેનો અમલ થતો નથી. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતો બે સિઝન સુધી ખેતીનો પાક નહીં લઈ શકે

મહત્વની બાબત એ છે કે પેછડાલ ગામના 10થી 15 પરિવારો પશુપાલન અને ખેતી પર પોતાનું જીવન ગુજારે છે. ત્યારે આ પાણી ન ઓસરવાને કારણે તેઓ હજુ બે સિઝનનો પાક લઈ શકવાના નથી અને પશુપાલન પર પણ અસર પડવાની છે. ત્યારે ખેડૂતો કપરી મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે અને પાણીના નિકાલનો પ્રશ્ન હલ થાય તેવી સરકાર પાસે અપેક્ષા છે.

એક અઠવાડિયા અગાઉ જિલ્લા વિકાસ અધિકારીએ સિંચાઈ વિભાગને સૂચના આપી હતી અને ત્યાં સર્વે કરી અને પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા પેછડાલ ગામે સર્વે કરાયું નથી. પાણીના નિકાલની ગ્રામ પંચાયતો દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા નક્કર કામ ન થતા હજુ પણ ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">