અંબાજીમાં એક માસ સુધી રોજ ધરાવાશે 200 કિલો મોહનથાળનો પ્રસાદ, બ્રહ્મ સમાજે કલેક્ટર કચેરીએ પ્રસાદ સાથે પહોંચી દર્શાવ્યો વિરોધ

Ambaji News : અનેક રજૂઆતો છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન થતાં દાતાઓ દ્વારા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

અંબાજીમાં એક માસ સુધી રોજ ધરાવાશે 200 કિલો મોહનથાળનો પ્રસાદ, બ્રહ્મ સમાજે કલેક્ટર કચેરીએ પ્રસાદ સાથે પહોંચી દર્શાવ્યો વિરોધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 6:00 PM

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો વિવાદ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન થતાં દાતાઓ દ્વારા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે. હવે અંબાજી મંદિરમાં રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ અપાશે. એક માસ સુધી 200 કિલોના પ્રસાદના દાતા પણ પ્રસાદ આપવા માટે તૈયાર થયા છે અને હજુ પણ દાતાઓનું રજીસ્ટ્રેશન ચાલુ છે. આવનારા સમયમાં તંત્ર મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરે તો દાતાઓ દ્વારા જ નિયમિત મોહનથાળનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કલેક્ટર કચેરીએ પ્રસાદ લઇ પહોંચ્યો બ્રહ્મ સમાજ

બ્રહ્મ સમાજના 21 આગેવાનો મોહનથાળનો પ્રસાદ લઇને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બ્રાહ્મણોએ અંબે-અંબેની ધૂન ગાઇને કલેક્ટર કચેરીમાં પ્રસાદ બંધ થવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે બ્રાહ્મણોએ કલેક્ટરને પ્રસાદ આપી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની રજૂઆત કરી છે.

અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવાયો

પવિત્ર યાત્રધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો મુદ્દો દિવસેને દિવસે વધુ તૂલ પકડી રહ્યો છે. ગઇકાલે 6 દિવસ બાદ ધૂળેટી પર્વે અંબાજી માતાને 200 કિલો મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ મોહનથાળના પ્રસાદનું શ્રદ્ધાળુઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આગામી એક માસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં

આ અભિયાનમાં આગામી એક માસ સુધી મોહનથાળના પ્રસાદના દાતા મળ્યાં છે અને દાતાઓના સહકારથી મોહનથાળના પ્રસાદનું વિતરણ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. હિંદુ હિતરક્ષક સમિતિએ મંદિર ટ્રસ્ટ વતી મોહનથાળના પ્રસાદનું વિતરણ ન થાય ત્યાં સુધી આવુ અનોખું આંદોલનન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આગામી સમયમાં ચિકીના બદલે મંદિર ટ્રસ્ટ ભક્તોને નિશુલ્ક મોહનથાળ આપે તેવી માગણી કરવામાં આવી.

મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને મોહનથાળનો પ્રસાદ આપી કરાશે રજૂઆત

મળતી માહિતી મુજબ અંબાજીમા મોહનથાળ પ્રસાદ બંધ કરવા મામલે હિન્દુ સંગઠન વિધાનસભામાં ધારાસભ્યોને પ્રસાદ આપીને રજૂઆત કરશે. મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને મોહનથાળનો પ્રસાદ અપાશે. મુખ્યમંત્રી પાસે સમય માગી અને ત્યારબાદ પ્રસાદ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">