કોરોના વાઈરસને લઈ બનાસ ડેરી પણ સતર્ક થઈ છે. બનાસકાંઠાની બનાસ ડેરી દરરોજ 60 લાખ લીટર જેટલું દૂધ પશુપાલકો પાસેથી મેળવે છે. ત્યારે પશુપાલકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે પશુપાલકો એકબીજાથી અંતર રાખીને દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પશુપાલકો એકબીજાથી દૂર રહે તે માટે દૂધમંડળી બહાર ગોળ સર્કલ અને લાઈનો કરવામાં આવી છે. જેથી દૂધ ભરાવવા આવતા તમામ પશુપાલકો માસ્ક પહેરીને આવે છે અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરે છે. જે પણ વાહનો અને કર્મચારીઓ બનાસ ડેરીમાં પ્રવેશ કરે છે, તે તમામને સેનિટાઈઝ કરવાની કામગીરી 24 કલાક ચાલે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: કોરોના પર PMની મનની વાત, વડાપ્રધાને દેશવાસીઓની માંગી માફી
Published On - 7:03 am, Sun, 29 March 20