AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બારડોલી નગરપાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ કેનાલ રોડ બેહાલ, 3 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ રોડની હાલત ખસ્તા

સુરત જિલ્લાના બારડોલીમાં નગરજનોની સુવિધા માટે પાલિકા દ્વારા ડ્રિમ પ્રોજકેટ અમલી બનાવ્યો હતો. અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને સ્ટેશન રોડથી કડોદરા રોડને જોડતી કેનાલનો ઉપયોગ કરાયો હતો. અને ૩ કિમીના અંતરમાં 3 કરોડથી વધુના ખર્ચે આરસીસીરોડ બનાવવામાં આવ્યો હતો.

બારડોલી નગરપાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ કેનાલ રોડ બેહાલ, 3 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ રોડની હાલત ખસ્તા
ફાઇલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 4:02 PM
Share

બારડોલી નગર પાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા અલંકાર નજીક કેનાલ રોડ બેહાલ થયો છે. 3 કરોડથી વધુ ખર્ચ્યા બાદ પણ માસમોટા ખાડા અને સળિયા બહાર આવી ગયા. બીજી બાજુ કેનાલમાં પણ પાણી અને સફાઈ અભાવે ગટર લાઈન બની જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત જિલ્લાના બારડોલીમાં નગરજનોની સુવિધા માટે પાલિકા દ્વારા ડ્રિમ પ્રોજકેટ અમલી બનાવ્યો હતો. અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને સ્ટેશન રોડથી કડોદરા રોડને જોડતી કેનાલનો ઉપયોગ કરાયો હતો. અને ૩ કિમીના અંતરમાં 3 કરોડથી વધુના ખર્ચે આરસીસીરોડ બનાવવામાં આવ્યો હતો. અને કેનાલ રોડ બન્યાને ૩ વર્ષ થયા છે. અને કરોડોના ખર્ચે બનેલ રોડ હાલ બેહાલ થઇ ગયો છે. દ્રશ્યોમાં જોવાઇ રહ્યું છે તે મુજબ ઠેર ઠેર રોડ પ મસમોટા ખાડાઓ તો બીજી બાજુ સળિયા પણ બહાર આવી ગયા છે. જેથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

ત્રણ કરોડથી વધુના ખર્ચે આ કેનાલ રોડ બનાવવામાં આવ્યો હતો. અને ૩ વર્ષમાં બેહાલ થયો. સાથે જ કેનાલ રોડ વચ્ચે નહેર પણ આવેલી છે. અને દ્રશ્યો જોતા આ નહેર નથી. પરંતુ નહેર અને ગટરમાં ફેરવાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે . સિંચાઈ દ્વારા પણ યોગ્ય સાફ સફાઈ થતી નથી . નહેરમાં ગંદકી તેમજ મોટું ઘાસ ઉગી નીકળ્યું છે. અને પાણીના અભાવે આસપાસની ખેતીને પણ નુકસાન થઇ રહ્યું છે.

મરામતના અભાવે કેનાલ રોડ પાર શાસકો દ્વારા ડામરનું પેચ મારવાની વાત હતી. પરંતુ એ વાત પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. બીજી બાજુ કેનાલ રોડ આજુબાજુ ૩૦૦૦થી વધુ ફૂલ છોડનું પ્લાન્ટેશન કરવાનું પણ નક્કી કરાયું હતું. પાલિકાએ બે થી ત્રણ વાર વૃક્ષારોપણ પણ શાસકો કરી ફોટો સેશન કર્યું હતું . પરંતુ અહીં વૃક્ષો સાથે યોગ્ય જાળી પણ લગાવવામાં આવી નથી. અને કેટલીક જગ્યાએ જાળીઓ પણ તૂટી ગઈ છે. જેથી શાસકો દ્વારા માત્ર વિકાસના નામે સપના બતાવી માત્રને માત્ર સરકારી નાણાંનો દૂર ઉપયોગ અને કામના મરામત પ્રત્યે શાસકો નિષ્ફળ નીવડી રહ્યા છે.

આ પણ વાંચો : Gir Somnath : તાલાલા ગીરમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, ઠંડીનો અભાવને કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">