AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : તાલાલા ગીરમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, ઠંડીનો અભાવને કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો

તાજેતરમાં ભરશિયાળામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. અને, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે ગુજરાતની કેસર કેરી માટે પ્રખ્યાત તલાલા પંથકમાં કેરીના પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

Gir Somnath : તાલાલા ગીરમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, ઠંડીનો અભાવને કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો
કેરીનો બગીચો (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 3:44 PM
Share

Gir SOMNATH : કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર પંથકમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી છે. ગીર પંથકની કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે બજારોમાં માંગ વધી રહી છે. ત્યારે જરૂરી ઠંડીના અભાવે કેરીના બગીચાઓ પર સંકટ ઘેરાયુ છે.

હાલ આ સમયે જરૂરી ઠંડીનો અભાવ અને વરસાદી વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોરફૂટવાની પ્રક્રિયા અટકી પડતા અને જીવાતનો ઉપદ્રવ વધતા કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

તાલાલા ગીર પંથકમાં કારતક માસમાં ઠંડીનો અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો છે. ત્યારે આંબાવાડીઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા અટકી ગઈ છે અને મગીયા નામની ઇયળ, જીવાત જોવા મળી રહી છે. પાકને બચાવવા માટે ખેડૂતો મસમોટા ખર્ચ કરી અને દવાનો છંટકાવ કરી રહ્યા છે.

આંબાઓમાં નવેમ્બર માસમાં જ જ આવેલી કોળામણ બાદ ભાગમાં કોળામણ જોવા નથી મળતી, તેમાં મોરવા ફ્લાવરીગની પ્રક્રિયા શરૂ થઇ હતી. જોકે માત્ર એક સપ્તાહ ઠંડી જોવા મળી હતી. બાદ વાતાવરણ બગાડયું હતું. અને કમોસમી માવઠાં ભારે પવનના કારણે કેરીનું ફ્લાવરીગ અટકી ગયું હતું. નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી આમ ત્રણ તબક્કામાં મોર ફૂટતા હોય છે.

કમોસમી વરસાદ(માવઠું) અને ઠંડીની નહિવત અસરે કેરીના પાક બગાડયો

નોંધનીય છેકે તાજેતરમાં ભરશિયાળામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. અને, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે ગુજરાતની કેસર કેરી માટે પ્રખ્યાત તલાલા પંથકમાં કેરીના પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જેથી હાલ ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટા સમાન બની ગઇ છે. કેરીમાં મોર ફુટવાની પ્રક્રિયા ધીમી પડશે તો સમયસર પાક ન ઉતરે તેવું ખેડૂતો માની રહ્યાં છે. અને, કેરીની સિઝન મોડી શરૂ થાય તેવા પણ એંધાણ દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચો : માતાના નિર્ણયથી દીકરો પહોંચ્યો એકેડમી, દાદાનો ખાસ સહકાર, મુશ્કેલીમાં પિતા બન્યા કોચ, જાણો ભારતની અંડર-19 ટીમના કેપ્ટનની કહાની

આ પણ વાંચો : AHMEDABAD : ”વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકરની જેમ ભળે છે પાટીદાર સમાજ”, ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">