અરવલ્લીઃ મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ સારો નોંધાયો હતો.

| Updated on: Jul 03, 2024 | 9:49 AM

અરવલ્લી જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ સારો નોંધાયો હતો.

જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એ મુજબ જ મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાની સવારી જોવા મળી હતી. વરસાદી માહોલ જામવાને લઈ હવે ખેડૂતોને પણ ખેતી માટે મોટી રાહત સર્જાઈ છે. જિલ્લામાં હવે ખેડૂતોએ ચોમાસુ ખેતી માટેની તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દીધી છે.

મોડાસામાં ત્રણ ઈંચ વરસાદ

ગઈ રાત્રી દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં અંતિમ 24 કલાક દરમિયાન લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બુઘવારે સવારે 6 કલાક સુધીમાં મોડાસમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મોડાસા અને આસપાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

મોડાસા શહેરના હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત મોડાસાના મેઘરજ રોડ, મોડાસા શહેરમાં આવેલ ચાર રસ્તા સર્કલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ લોકોને હાલાકી સર્જાઈ હતી.

અન્ય 5 તાલુકામાં પણ વરસાદ

આ ઉપરાંત મેઘરજમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અંતિમ 24 કલાક દરમિયાનમાં મેઘરજમાં 22 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ભિલોડા અને ધનસુરામાં પોણો પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. એટલે કે, ભિલોડામાં 19 અને ધનસુરામાં 17 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બાયડમાં અડધો ઈંચ અને માલપુરમાં 9 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ

  • મોડાસાઃ72 મીમી
  • મેઘરજઃ22 મીમી
  • ભિલોડાઃ19 મીમી
  • ધનસુરાઃ17 મીમી
  • બાયડઃ11 મીમી
  • માલપુરઃ09 મીમી

સાબરકાંઠામાં મેઘમહેર

હિંમતનગરમાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસ્યો હતો. આ ઉપરાંત પ્રાંતિજ અને તલોદમાં પણ દોઢ-દોઢ ઈંચ કરતા વધારે વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જળવાઈ રહેવાને લઈ ખેડૂતોમાં આનંદ વર્તાયો છે. ખેડૂતો આ વિસ્તારમાં હવે વાવણી માટે વ્યસ્ત બનવા લાગ્યા છે.

 

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
g clip-path="url(#clip0_868_265)">