AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: શાળાઓમાં રજા કે શિક્ષણ ચાલુ? અધિકારીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુંઝવણમાં મુકી મુશ્કેલી વધારી દીધી!

Cyclone Biporjoyi: શિક્ષણાધિકારીએ સાંજ બાદ બે જુદા જુદા આદેશ કર્યા જેને લઈ શિક્ષકોથી લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધીનાઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. શિક્ષકોએ મોડી રાત્રે અને વહેલી સવારે દોડધામ કરી મુકવી પડી હતી.

Aravalli: શાળાઓમાં રજા કે શિક્ષણ ચાલુ? અધિકારીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુંઝવણમાં મુકી મુશ્કેલી વધારી દીધી!
પહેલા રજા બાદમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા આદેશ
| Updated on: Jun 16, 2023 | 9:50 AM
Share

શુક્વાર અને શનિવારે ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઈ એલર્ટને પગલે અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર સરકારને આદેશને પગલે તંત્રમાં જોવા મળી રહી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કાર્યને બંધ રાખવાને લઈ આદેશ ગુરુવારે સાંજે કરવામાં આવ્યો હતો. આમ વિદ્યાર્થીઓને શાળાએ આવવાથી રજા આપવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ મોડી રાત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીએ આ આદેશને રદ કરીને શિક્ષણ કાર્ય જારી રાખવા માટે આદેશ કર્યો હતો. જેને લઈ શિક્ષકો મુંઝવાઈ ગયા હતા.

શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને પગલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરકાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વાલીઓને મોડી રાત સુધી બાળકોને શાળાએ નહીં મોકલવા અંગે સંપર્ક કર્યા હતા. મોટાભાગના બાળકોના વાલીઓ સુધી શિક્ષણ કાર્યની રજાનો આદેશ હોવાની જાણકારી અપાઈ હતી. વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતીને લઈ શિક્ષણાધિકારીએ આદેશ કર્યો હોવાની સત્તાવાર જાણકારી આ અંગે શિક્ષકોએ વાલીઓ સુધી પહોંચાડી દીધી હતી.

પહેલા રજા, પછી આદેશ રદ

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે મુજબ અતિભારે વરસાદને કારણે શુક્રવારે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને વિદ્યાર્થીઓને રજા આપવા અંગેની સૂચના કરવામાં આવી હતી. જેને રાત્રી દરમિયાન પ્રાથમિક શિક્ષણાધિકારીએ રદ કરતો બીજો પરિપત્ર કર્યો હતો. શિક્ષણાધિકારીએ નવા આદેશમાં લખ્યુ હતુ કે, હાલની પરિસ્થિતીને જોતા અરવલ્લી જિલ્લાની સ્થાનિક પરિસ્થિતીને ધ્યાને રાખી પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા જણાવવામાં આવે છે. પરિસ્થિતીનુ આંકલન કરીને ફરીથી અલાયદી સૂચના આપવામાં આવશે એમ પણ જણાવ્યુ હતુ.

આચાર્ય અને શિક્ષકો મુંઝવણની સ્થિતીમાં

મોટાભાગના શિક્ષકોને જ્યારે સવાર પડી તો ખ્યાલ આવ્યો કે ગઈ સાંજનો આદેશ રદ કરવામાં આવ્યો છે. એટલે કે જે સમાચાર તેઓએ વાલીઓને પાઠવ્યા હતા. એ હવે રદ કરવામાં આવ્યા છે. આમ શિક્ષકો અને આચર્ય વહેલી સવારથી વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટેનુ કહેણ મોકલવામાં જ દોડધામ કરતા જોવા મળ્યા હતા. ઘણાં ખરા શિક્ષકોએ વિદ્યાર્થીઓનુ શિક્ષણ ના બગડે એ માટે રાત્રી દરમિયાન જ વાલીઓનો ફરી સંપર્ક કરવાનો શરુ કર્યો હતો. તો ઘણાં શિક્ષકોએ વહેલી સવારે સંપર્ક કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓ શાળાએ આવે અને શિક્ષણ મેળવી શકે.

જોકે ઘણાં ખરા શિક્ષકોને વાલીઓના પ્રશ્નોનો જવાબ આપવામાં મુશ્કેલી થઈ પડી હતી. પહેલા તો રજા આપી હોવાનુ કહેવામાં આવ્યુ તો, બાદમાં હવે શાળા ચાલુ હોવાનુ કહેતા સ્વાભાવિક જ શિક્ષકોને અનેક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. જોકે શિક્ષકોએ તમામ સવાલોનો શાંતિથી જવાબ આપીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યને જારી રાખવા માટે પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">