Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો

Aravalli News Round Up: પ્રસિદ્ધ શામળાજી મંદિરે (Shamlaji Temple) ભક્તો સોના અને ચાંદીની ભેટ ચઢાવી ધન્યતા અનુભવે છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ચુકી છે. કંટાળુ હનુમાનજી મંદેરે ખેડૂત પરીવારની મહિલાઓએ વરસાદ માટે જળ અભિષેક કરી પ્રાર્થના કરી.

Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો
Aravalli News Round Up
Follow Us:
| Updated on: Jul 06, 2021 | 9:10 AM

શામળીયા ભગવાનને ચાંદીના વાસણ અર્પણ

શામળાજી મંદિર (Shamlaji Temple) ને એક ભક્તે રુપિયા 5.62 લાખ ની કિંમતના ચાંદીના વાસણો (Silverware) ની ભેટ ચઢાવી હતી. ભક્ત દ્વારા મંદિરને રાજ ભોગ માટે થઇને ખાસ ભોગ પાત્રોને અર્પણ કર્યા હતા. જે વાસણોને 6.5 કિલો ચાંદીમાં થી કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. ભગવાન શામળીયાનો રુઆબ છે, જેને જાળવવા માટે ભક્તો હરહંમેશ પ્રયાસ કરતા હોય છે. આજ રીતે ભક્તે ચાંદીના વાસણોની ભેટ ધરી હતી.

એક જ સપ્તાહમાં શામળાજી મંદિરને 10 કીલો થી વધુ ચાંદીની ભેટ મળી છે. જેમાં એક કલાત્મક મુગટનો પણ સમાવેશ થાય છે. જે પોણા ચારેક કિલો ચાંદીમાંથી નિર્માણ કરવામાં આવ્યો હતો. ભક્તો અહી સોના અને ચાંદીની ભેટ સોગાદ ભગવાનને ધરાવતા રહે છે. સાથે જ પોતાનુ નામ પણ જાહેર કરવા થી દુર રહે છે. આમ હવે શામળીયા ભગવાન હવે નવા વાસણોમાં રાજ ભોગ આરોગવાનો ભાવ પેદા થશે. મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભીએ ભક્તોને ભાવને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

વરસાદ ખેંચાતા કંટાળુ હનુમાનજીને જળ અભિષેક

અરવલ્લી (Aravalli) જીલ્લામાં વરસાદ ખેંચાઇ રહ્યો છે. ખાસ કરીને મેઘરજ (Meghraj) વિસ્તારના ખેડૂતો વરસાદ અને સિંચાઇ વીના હવે ચિંતામાં મૂકાયા છે. મુશ્કેલ બનતી જઇ રહેલી સ્થિતીને નિવારવા માટે મેઘરજના રખાપુર વિસ્તારની મહિલાઓએ કંટાળુ હનુમાનજી મંદિરે (Kantalu Hanumanji Temple) જળ અભિષેક કરી વરુણદેવને રિઝવવા પ્રયાસ કર્યો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

વિસ્તારમાં મગફળી અને ધાન્ય પાકોનુ ખેડૂતોએ વાવેતર શરુ કરી દીધુ છે. બીજી તરફ વરસાદ ખેંચાઇ રહ્યો છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રખાપુર ગામના ખેડૂત પરીવારની મહિલાઓએ ઢોલ નગારા સાથે કંટાળુ હનુમાનજી મંદિરે માથે બેડા લઇ પહોંચી હતી. જ્યાં હનુમાનજીને જળ અભિષેક કરવામાં આવ્યો હતો. મહિલાઓએ વરસાદ જલ્દી વરસે એ માટે હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરી હતી.

બાયડમાં અનૂસુચિત જાતીના લોકોને રસ્તાની અગવડ

બાયડ (Bayad) તાલુકાના લીંબ ગામે જૂનો રસ્તો બંધ કરી દેવાને લઇને અનૂસુચિત જાતીના લોકોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ. છેલ્લા ત્રણેક મહિના થી વર્ષો જૂના અવરજવરના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. જેને ખુલ્લો કરવા માટે માંગ કરવામાં આવી હતી.

રસ્તો બંધ કરવા ને લઇને સ્થાનિકો વચ્ચે જૂની અદાવત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગામમાં વરઘોડો નિકાળવાને લઇને બે સમાજો વચ્ચે ખટરાગ સર્જાયો હતો. જે મામલે જે તે સમયે પોલીસ ફરીયાદ દર્જ થઇ હતી.

આ પણ વાંચોઃ  Surat : પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધ્યો, 2થી 3 મહિનાનું વેઇટિંગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">