AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદના ખંભાતમાં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં, ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે ફરી શકે છે તંત્રનું બુલડોઝર

ખંભાતના જેલ રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે. સીટી સર્વેના અધિક મામલતદારે દબાણ કરનાર લોકોને નોટિસ પાઠવી છે. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કાયદો હાથમાં લેનારાઓને માફ નહીં કરાય.

આણંદના ખંભાતમાં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં, ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે ફરી શકે છે તંત્રનું બુલડોઝર
Khambhat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 11:41 AM
Share

આણંદ (Anand) ના ખંભાત (Kanbhat) માં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં. ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે તંત્રનું બુલડોઝર (bulldozers) ફરી શકે છે. ખંભાતના જેલ રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે. સીટી સર્વેના અધિક મામલતદારે દબાણ કરનાર લોકોને નોટિસ પાઠવી છે. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કાયદો હાથમાં લેનારાઓને માફ નહીં કરાય. અને આ જ નિર્ણયના ભાગરૂપે ખંભાતમાં હિંસા બાદ તંત્રએ લાલ આંખ કરી છે. નોટીસને પગલે કેટલાક દબાણકર્તાઓએ પોતાના માલસામાન ખસેડવાની કામગીરી શરૂ કરી છે.

આણંદ જિલ્લાના ખંભાતમાં છેલ્લા ઘણા સમયથી શક્કરપુરા વિસ્તારમાં અસામાજીક તત્વોએ દબાણો ઊભા કરેલા હતા. જો કે રામ નવમીના દિવસે ખંભાતમાં શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ છે.

તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ શક્કરપુરામાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા અને ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો, ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે. ડીસ્ટ્રીક લેન્ડ રેકોર્ડના માપણી અધિકારી અને સર્વેયરોએ માપણીની કાર્યવાહી કરી હતી. શકકરપુર ગામના સર્વે નંબર 5 અને 8ની માપણીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. દબાણ અંગેનો રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.

મહત્વનું છે કે, રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં, 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક ઇજાગ્રસ્ત કો ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસમાં અલગ-અલગ ટીમો જોડાઈ છે. ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે. હિંસા ફેલાવવાનું આ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સાઈબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું હતું. રજ્જાક હુસેન ઉર્ફે મૌલવી, જમશેદ જોરાવર પઠાણ સહીત 6 શખ્સો હતા. જેમણે સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું. તોફાન પહેલા અને પછી કેટલાક શખ્સો સાથે ગુપ્ત મીટિંગ પણ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. દિગ્વિજય પ્લોટમાં દબાણ દૂર કરવા માટે કામગીરી, મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ, અધિકારીઓ પોલીસ કાફલા સાથે રાખીને કામગીરી હાથ ધરી, 24 જેટલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવાશે.

આ પણ વાંચોઃ Surat : સરકાર તરફથી સસ્તા દરે સોનું મળતું નથી, સુરતથી અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં 50 કરોડના દાગીનાના ઓર્ડર અટક્યા

આ પણ વાંચોઃ Surat : સરકાર તરફથી સસ્તા દરે સોનું મળતું નથી, સુરતથી અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં 50 કરોડના દાગીનાના ઓર્ડર અટક્યા

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">