Amreli: જાફરાબાદની માછીમારી બોટ દમણના દરિયામાં ફસાઈ, કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન

|

Aug 12, 2022 | 10:35 PM

દમણના (Daman) દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. આ તોફાની મોજામાં જાફરાબાદની 1 બોટ ફસાઈ હતી. બોટ દરિયામાં 32 નોટિકલ માઇલ દૂર ફસાઈ હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Amreli: જાફરાબાદની માછીમારી બોટ દમણના દરિયામાં ફસાઈ, કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન
Amreli: Jafarabad fishing boat stranded in Daman sea

Follow us on

હવામાન વિભાગે (IMD) કરેલી ભારે વરસાદની (Rain) આગાહીની દરિયામાં અસર જોવા મળી છે. દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જો કે દમણના (Daman) દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. આ તોફાની મોજામાં જાફરાબાદની (Jafrabad) 1 બોટ ફસાઈ હતી. બોટ દરિયામાં 32 નોટિકલ માઇલ દૂર ફસાઈ હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અમરેલીના જાફરાબાદ બંદરેથી માછીમારી માટે નીકળેલી ‘તીર્થનગરી’ નામની બોટ દમણ પાસે દરિયામાં તોફાનના કારણે ફસાઈ હતી. ઘટનાની જાણ દમણ કોસ્ટગાર્ડને થતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારી બોટમાં 8 માછીમારો હતા. કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં 5 માછીમારોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે અને બાકીના માછીમારોનું રેસ્ક્યૂ કાર્ય ચાલુ છે.

દમણનો બન્યો છે તોફાની

હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીની દરિયામાં અસર જોવા મળી છે અને દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે દમણના દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો.

જાફરાબાદના દરિયાકાંઠેથી હટાવાયું 3 નંબરનું સિગ્નલ

હાલમાં જાફરાબાદના દરિયાકાંઠેથી 3 નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. ગત રોજ જાફરાબાદના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ જાફરાબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.

પોરબંદરના જમનાસાગર વહાણની જળ સમાધિની ઘટના

8 ઓગસ્ટે દુબઇથી પોરબંદર આવતા જમના સાગર વહાણે ઈરાન નજીક સમુદ્રમાં જળ સમાધિ લીધી હતી. જમના સાગર વહાણમાં 10 ક્રુ મેમ્બરો સવાર હતા. જેમાંથી હુસેન અલી મામદ નામનો એક ક્રુ મેમ્બર સમુદ્રમાં લાપતા બન્યો હતો. આજે હુસેન અલીમમાદનો મૃતદેહ પાકિસ્તાનના સમુદ્રમાંથી મળ્યો હતો. પાકિસ્તાન સુરક્ષા એજન્સીએ મૃતદેહને બહાર કાઢી ભારતને સોંપવા કામગીરી શરૂ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Next Article