Amreli: જિલ્લામાં વાવણી સમયે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો મુકાયા મુસીબતમાં, મોંઘા ભાવનું બિયારણ વેડફાવાનો ભય

અમરેલી જિલ્લામાં વાવણીના સમયે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો મુસીબતમાં મુકાયા છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને તેની આસપાસ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો કોરાધાકોર જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 1:07 PM

અમરેલી જિલ્લામાં (Amreli) વાવણીના સમયે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો મુસીબતમાં મુકાયા છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને તેની આસપાસ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો કોરાધાકોર જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કોરોના અને તાઉતે વાવાઝોડા જેવી આફતોનો સામનો કરી માંડ માંડ ખેડૂતો બેઠા થયા છે. ત્યારે હવે મેઘરાજા પણ તેમની કૃપા વરસાવવામાં વિલંબ કરતા જગતના તાત ચિંતાના વાદળોમાં ઘેરાયા છે. વરસાદનો વર્તારો મેળવી આગોતરું વાવેતર કરનારા ખેડૂતો પણ નિરાશ જોવા મળી રહ્યા છે. અને મોંઘા ભાવનું બિયારણ વેડફાવાની ભીતિ સેવાઇ રહી છે. એક તરફ જૂન મહિનાનો અંત નજીકમાં હોવા છતાં વરસાદના એંધાણ નથી. અને બીજી તરફ અપૂરતી વીજળીની સમસ્યાને કારણે વાવેલા બિયારણને સમયસર પાણી પણ આપી શકાતું નથી. ત્યારે કેટલાક ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી રહ્યા છે. તેમજ પાકવીમાની ચૂકવણી કરવામાં આવે તેવી પણ માગ કરી રહ્યા છે.

આ જિલ્લામાં વરસાદ ખાબકશે

જો વિગતે હવામાનની વાત કરીએ તોઆજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 42 રહેશે. તેમજ વરસાદની શક્યતા નથી.ઉપરાંત 55 ટકા વાદળ છાયુ વાતાવરણ રહેતા અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ વરસાદ પડવાની પુરી શક્યતા છે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">