અમિત જેઠવા હત્યા કેસ, ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને હાઈકોર્ટે આપી રાહત

તપાસમાં સામે આવ્યું હતું કે અમિત જેઠવાએ હત્યાના દિવસે જ હાઇકોર્ટમાં જૂનાગઢના જંગલોમાં ગેરકાયદે ખનન અંગે PIL કરી હતી. હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 12:31 PM

રાજયના બહુચર્ચિત અમિત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટે દીનુ બોઘા સોલંકીએ રાહત આપી છે. હાઇકોર્ટે દીનુ બોધા સોલંકીને થયેલી સજા મોકુફ રાખી છે, દીનુ બોધા સોલંકીને જામીન પર છોડવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. ચર્ચાસ્પદ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીએ CBI કોર્ટે સજા ફટકારી હતી. આ બાબતે હાઈકોર્ટમાં કરેલ અપીલની આજે સુનાવણી હાથ ધરાઇ હતી. રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજુઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. કોર્ટે દિનું સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. જ્યારે એક લાખ રૂપિયાના જામીન પર છોડવા હૂકમ કર્યો છે.

શું છે અમિત જેઠવા હત્યા કેસ ?

તપાસમાં સામે આવ્યું હતું કે અમિત જેઠવાએ હત્યાના દિવસે જ હાઇકોર્ટમાં જૂનાગઢના જંગલોમાં ગેરકાયદે ખનન અંગે PIL કરી હતી. હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી હતી, દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ મળતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

મોટાભાગના સાક્ષીઓ જુબાનીથી ફરી ગયા હતા

આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">