AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી

મહત્વનું છે કે અગાઉ રેલવેનો સ્વચ્છતામાં 21 મો ક્રમાંક હતો જે બાદ સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવતા હાલ સ્વચ્છતામાં રેલવે 12 મા ક્રમે પહોંચ્યું છે. તપ હવે 12માં ક્રમાંકથી ઉપર જવાનો રેલવેનો પ્રયાસ. જેના ભાગ રૂપે રેલવે છેલ્લે કેટલાક વર્ષથી સ્વચ્છતા પખવાડા ઉજવી રહ્યું છે.

Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી
Ahmedadad: Attempt to bring railway department forward in sanitation, celebration of sanitation fortnight
Darshal Raval
| Edited By: | Updated on: Sep 30, 2021 | 5:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે. અને તેમાં છેલ્લા થોડા વર્ષોથી તમામ ક્ષેત્રે સ્વચ્છતા પર ભાર મુકવાનું શરૂ કર્યું છે. જેમાં રેલવે વિભાગ પણ જોડાયું છે. જેની અંદર રેલવે વિભાગ સ્વચ્છતાને લઈને વિવિધ પ્રયાસ કરી રહ્યું છે કાર્યક્રમ કરી રહ્યું છે. આવી જ રીતે રેલવે વિભાગ તાજેતરમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરી રહ્યું છે. 16 સપ્ટેમ્બરથી રેલવે વિભાગે સ્વચ્છતા પખવાડા ઉજવવાની શરૂઆત કરી છે. જે 2 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. જેમાં છેલ્લા દિવસે એટલે કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોવાથી સ્વચ્છતા પખવાડા સાથે ગાંધી જયંતિની ઉજવણી પણ રેલવે વિભાગ કરશે. જેમાં રેલવે વિભાગ 2 ઓક્ટોબરે સ્વચ્છતા કાર્યક્રમ સાથે ગાંધીજીનું પ્રદર્શની ગોઠવી ઉજવણી કરશે.

રેલવે drm એ સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરતા જણાવ્યું કે 16 સપ્ટેમ્બરથી શરૂ કરેલી ઉજવણીમાં રેલવે વિભાગે સ્વચ્છતાને લઈને પ્રણ લીધા છે. જેની ઉજવણી કરાઈ રહી છે. જે પખવાડા હેઠળ રેલવે સ્ટેશન. ટ્રેન. ઓફિસ. પરિસર. કવાટર્સ અને ડેપો સહિતના સ્થળને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરાશે. જે સ્વચ્છતા પખવાડામાં લોકોને જોડાવા જણાવ્યું. તો લોકોને પણ સ્વચ્છતા રાખવા રેલવે drm એ અપીલ કરી.

મહત્વનું છે કે અગાઉ રેલવેનો સ્વચ્છતામાં 21 મો ક્રમાંક હતો જે બાદ સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવતા હાલ સ્વચ્છતામાં રેલવે 12 મા ક્રમે પહોંચ્યું છે. તપ હવે 12માં ક્રમાંકથી ઉપર જવાનો રેલવેનો પ્રયાસ. જેના ભાગ રૂપે રેલવે છેલ્લે કેટલાક વર્ષથી સ્વચ્છતા પખવાડા ઉજવી રહ્યું છે. જેમાં સ્વચ્છતા પખવાડામાં રેલવે સ્વચ્છતા કાર્યક્રમ સાથે જાગૃતિ માટે રેલી સહિત કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છે. તો સાથે જ રોપા વિતરણ પણ કર્યા. જેથી પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ આવે સાથે જ લોકો વૃક્ષો વાવતા થાય અને પર્યાવરણને પણ બચાવી શકાય. સાથે જ નો પ્લાસ્ટિક દિવસ પણ મનાવવામાં આવ્યો જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણ બચી શકે. તો ટેકનોલોજી અંગે પણ આ સ્વચ્છતા પખવાડા ઉજવણી દરમીયાન કર્મચારીઓને માહિતગાર કરાયા. જેનું તમામ અધિકારીએ સિદ્ધુ નિરીક્ષણ પણ કર્યું હતું.

Drm ના જણાવ્યા પ્રમાણે રેલવેમાં સ્વચ્છતાને ધ્યાને લઈને સેગ્રીગેશન. વોટર રિસાયકલ પ્લાન્ટ અને stp પ્લાન્ટ સહિતના પ્રોજેકટ પણ શરૂ કર્યા છે. જેથી તમામ ક્ષેત્રે સ્વચ્છતા લાવી શકાય. અને સરળ પ્રોસેસ કરી શકાય. અને વેસ્ટ માંથી બેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરી નવી વસ્તુ લોકો સુધી પહોંચાડી શકાય. તો ઉજવણીના નિવેદન દરમિયાન રેલવે drm એ સ્ટેશન પર બંધ રહેલ વોટર વેન્ડિંગ મશીન કે જે 3 વર્ષથી બંધ હાલતમાં છે તે જલ્દી શરૂ કરવા ખાતરી આપી.

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">