AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી

મહત્વનું છે કે અગાઉ રેલવેનો સ્વચ્છતામાં 21 મો ક્રમાંક હતો જે બાદ સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવતા હાલ સ્વચ્છતામાં રેલવે 12 મા ક્રમે પહોંચ્યું છે. તપ હવે 12માં ક્રમાંકથી ઉપર જવાનો રેલવેનો પ્રયાસ. જેના ભાગ રૂપે રેલવે છેલ્લે કેટલાક વર્ષથી સ્વચ્છતા પખવાડા ઉજવી રહ્યું છે.

Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી
Darshal Raval
| Edited By: | Updated on: Sep 30, 2021 | 5:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે. અને તેમાં છેલ્લા થોડા વર્ષોથી તમામ ક્ષેત્રે સ્વચ્છતા પર ભાર મુકવાનું શરૂ કર્યું છે. જેમાં રેલવે વિભાગ પણ જોડાયું છે. જેની અંદર રેલવે વિભાગ સ્વચ્છતાને લઈને વિવિધ પ્રયાસ કરી રહ્યું છે કાર્યક્રમ કરી રહ્યું છે. આવી જ રીતે રેલવે વિભાગ તાજેતરમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરી રહ્યું છે. 16 સપ્ટેમ્બરથી રેલવે વિભાગે સ્વચ્છતા પખવાડા ઉજવવાની શરૂઆત કરી છે. જે 2 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. જેમાં છેલ્લા દિવસે એટલે કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોવાથી સ્વચ્છતા પખવાડા સાથે ગાંધી જયંતિની ઉજવણી પણ રેલવે વિભાગ કરશે. જેમાં રેલવે વિભાગ 2 ઓક્ટોબરે સ્વચ્છતા કાર્યક્રમ સાથે ગાંધીજીનું પ્રદર્શની ગોઠવી ઉજવણી કરશે.

રેલવે drm એ સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરતા જણાવ્યું કે 16 સપ્ટેમ્બરથી શરૂ કરેલી ઉજવણીમાં રેલવે વિભાગે સ્વચ્છતાને લઈને પ્રણ લીધા છે. જેની ઉજવણી કરાઈ રહી છે. જે પખવાડા હેઠળ રેલવે સ્ટેશન. ટ્રેન. ઓફિસ. પરિસર. કવાટર્સ અને ડેપો સહિતના સ્થળને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરાશે. જે સ્વચ્છતા પખવાડામાં લોકોને જોડાવા જણાવ્યું. તો લોકોને પણ સ્વચ્છતા રાખવા રેલવે drm એ અપીલ કરી.

મહત્વનું છે કે અગાઉ રેલવેનો સ્વચ્છતામાં 21 મો ક્રમાંક હતો જે બાદ સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવતા હાલ સ્વચ્છતામાં રેલવે 12 મા ક્રમે પહોંચ્યું છે. તપ હવે 12માં ક્રમાંકથી ઉપર જવાનો રેલવેનો પ્રયાસ. જેના ભાગ રૂપે રેલવે છેલ્લે કેટલાક વર્ષથી સ્વચ્છતા પખવાડા ઉજવી રહ્યું છે. જેમાં સ્વચ્છતા પખવાડામાં રેલવે સ્વચ્છતા કાર્યક્રમ સાથે જાગૃતિ માટે રેલી સહિત કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છે. તો સાથે જ રોપા વિતરણ પણ કર્યા. જેથી પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ આવે સાથે જ લોકો વૃક્ષો વાવતા થાય અને પર્યાવરણને પણ બચાવી શકાય. સાથે જ નો પ્લાસ્ટિક દિવસ પણ મનાવવામાં આવ્યો જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણ બચી શકે. તો ટેકનોલોજી અંગે પણ આ સ્વચ્છતા પખવાડા ઉજવણી દરમીયાન કર્મચારીઓને માહિતગાર કરાયા. જેનું તમામ અધિકારીએ સિદ્ધુ નિરીક્ષણ પણ કર્યું હતું.

Drm ના જણાવ્યા પ્રમાણે રેલવેમાં સ્વચ્છતાને ધ્યાને લઈને સેગ્રીગેશન. વોટર રિસાયકલ પ્લાન્ટ અને stp પ્લાન્ટ સહિતના પ્રોજેકટ પણ શરૂ કર્યા છે. જેથી તમામ ક્ષેત્રે સ્વચ્છતા લાવી શકાય. અને સરળ પ્રોસેસ કરી શકાય. અને વેસ્ટ માંથી બેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરી નવી વસ્તુ લોકો સુધી પહોંચાડી શકાય. તો ઉજવણીના નિવેદન દરમિયાન રેલવે drm એ સ્ટેશન પર બંધ રહેલ વોટર વેન્ડિંગ મશીન કે જે 3 વર્ષથી બંધ હાલતમાં છે તે જલ્દી શરૂ કરવા ખાતરી આપી.

Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">