વિશ્વ હવામાન દિવસ 2022 : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઋતુમાં થયા અનેક ફેરફાર, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે હવામાન વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી ચિંતા

ક્લાઈમેટ ચેન્જ એ આજના સમયે ઋતુ પરિવર્તિત કરી રહ્યું છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી. 

વિશ્વ હવામાન દિવસ 2022 : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઋતુમાં થયા અનેક ફેરફાર, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે હવામાન વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી ચિંતા
World Meteorological Day 2022, Celebration at Ahmedabad Meteorological Department Office
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 23, 2022 | 2:43 PM

આજે વિશ્વ હવામાન દિવસ (World Weather Day) છે જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં હવામાન વિભાગની ઓફીસ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હવામાન દિવસના બેનર્સ લગાવીને હવામાન વિભાગની કચેરીએ ઉજવણી કરાઈ. જો કે આ સાથે હવામાન વિભાગના (Meteorological Department)અધિકારીઓએ ક્લાઈમેટ ચેન્જ (Climate change)ને લઈને ચિંતા પણ વ્યક્ત કરી.

આજના સમયમાં યોગ્ય હવામાન તે સમયની માગ છે. જોકે સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. જેની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે. કેમ કે હાલમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનિયમિત થઈ ગઈ છે. ક્યારેક પુષ્કળ ઠંડીની ઋતુ હોય છે, તો ક્યારેક બીલકુલ ઠંડી જ નહીં. ક્યારેક પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે કે જેનાથી મોત પણ નીપજે છે. વાવાઝોડાની પણ સંખ્યામાં વધારો થયો છે. જેનું એક માત્ર કારણ છે કલાઈમેટ ચેન્જ. જેના કારણે હાલમાં લોકોને અતિવૃષ્ટિ, હીટવેવ અને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ક્લાઈમેટ ચેન્જ એ આજના સમયે ઋતુ પરિવર્તિત કરી રહ્યું છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીનું કહેવું છે કે હાલના સમયમાં શહેરીકરણ, લોકોની વધતી વસ્તી અને લોકો દ્વારા ઉપયોગ કરવામા આવતા વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર આવ્યાનું અધિકારી માની રહ્યા છે. જેની પાછળ અધિકારીએ લોકોને જવાબદાર ઠેરવી જાગૃત બનવા અપીલ કરી છે. જેથી ક્લાઈમેટ ચેન્જને રોકી હવામાન સ્થિર કરી શકાય. જેના કારણે હવામાન વિભાગે આ વર્ષે પ્રારંભિક વોર્નિંગ અને એક્શન થીમ પર ઉજવણી કરી. જેથી લોકોને હાલના બદલાતા વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જથી અવગત કરાવી શકાય.

મહ્ત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.

હવામાન વિભાગ બન્યું હાઈટેક

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે 15 વર્ષ પહેલાં હવામાન વિભાગને સચોટ આગાહી કરવામાં હાલાકી પડતી હતી. જોકે જ્યારથી હવામાન વિભાગમાં કોમ્પ્યુટર સહિત આધુનિક સાધનો આવ્યા છે. ત્યારથી હવામાન વિભાગને આગાહી કરવામાં સરળતા સર્જાઈ છે અને એટલી સરળતા કે હવામાન વિભાગ હાલમાં કયા વરસાદ પડી રહ્યો છે તેની આગાહી પણ કરી શકે છે. તેમજ આગામી 10 દિવસ પહેલા કે મહિના પહેલા હવામાન કેવું રહેશે તે પણ હવામાન વિભાગ જાણી તેની પણ આગાહી કરી શકે છે.

આ પણ વાંચો-

Gujarat Assembly Session Live: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!

આ પણ વાંચો-

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 25 માર્ચ લેશે જામનગરની મુલાકાત, ભારતીય નૌસેના જહાજ વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">