Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં આપી શકાય તો, ગુજરાતમાં કેમ નહીં’

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભ જવા રવાના થયા હતા. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે.

Gujarat Election: ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં આપી શકાય તો, ગુજરાતમાં કેમ નહીં'
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:24 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઇને ગુજરાતમાં કેન્દ્રીય અગ્રણીઓની મુલાકાતો વધી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના (AAP) વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ઉતરાણ કરતા જ અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં મળે છે, જો દિલ્લીમાં આપ સરકાર ફ્રીમાં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રીમાં આપી શકે.

અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે કરી વાત

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભ જવા રવાના થયા હતા. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે. અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પર ઉતરાણ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, જરુર છે કે તમામ સરકારોએ મળીને અને તમામ લોકોએ મળીને દેશનો માહોલ ઠીક કરવાની જરુર છે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં મળે છે, જો દિલ્લીમાં આપ સરકાર ફ્રીમાં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રીમાં આપી શકે છે. પંજાબમાં પણ 1 જુલાઇથી વીજળી ફ્રીમાં આપવાનું શરુ થયુ છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

ગુજરાતમાં દિલ્હીની વીજળી મોડલ પર કરશે વાત

બે દિવસ દરમિયાન પણ આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીના વીજળી મોડલ પર વાત કરશે. ગુજરાતમાં તેઓ વીજળીના મુદ્દે વાત કરશે. આપ પાર્ટીનો ગુજરાતમાં મુખ્ય મુદ્દો એ છે કે જો દિલ્લીમાં મફત વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં. ગુજરાતમાં હવે વીજળી મુદ્દે રાજકારણ ગરમાઈ શકે છે. મહત્વનું છે કે, શિક્ષણ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ભાજપ અને આપ પાર્ટી વચ્ચે રાજનીતિ ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શાળાની મુલાકાત લઈ ખામીઓ કાઢી હતી. તો બીજી તરફ ભાજપની એક ટીમ પણ દિલ્હીની સ્કૂલોના નિરીક્ષણ માટે પહોંચી ગઈ હતી. આમ ભાજપ અને આમ આદમી પાર્ટી શિક્ષણ મુદ્દે સીધી રીતે સામ-સામે આવી ગઈ હતી. હવે આવું જ રાજકારણ વીજળી મુદ્દે શરૂ થયું છે. આમ આદમી પાર્ટી સવાલ ઉઠાવી રહી છે કે, દિલ્લી અને પંજાબમાં જનતાને મફત વીજળી મળી રહી છે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં કેમ ન મળી શકે?

નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે અગાઉ તેઓ મે મહિનામાં પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">