Gujarat Election: ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં આપી શકાય તો, ગુજરાતમાં કેમ નહીં’

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભ જવા રવાના થયા હતા. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે.

Gujarat Election: ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં આપી શકાય તો, ગુજરાતમાં કેમ નહીં'
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:24 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઇને ગુજરાતમાં કેન્દ્રીય અગ્રણીઓની મુલાકાતો વધી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના (AAP) વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ઉતરાણ કરતા જ અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં મળે છે, જો દિલ્લીમાં આપ સરકાર ફ્રીમાં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રીમાં આપી શકે.

અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે કરી વાત

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભ જવા રવાના થયા હતા. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે. અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પર ઉતરાણ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, જરુર છે કે તમામ સરકારોએ મળીને અને તમામ લોકોએ મળીને દેશનો માહોલ ઠીક કરવાની જરુર છે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં મળે છે, જો દિલ્લીમાં આપ સરકાર ફ્રીમાં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રીમાં આપી શકે છે. પંજાબમાં પણ 1 જુલાઇથી વીજળી ફ્રીમાં આપવાનું શરુ થયુ છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ગુજરાતમાં દિલ્હીની વીજળી મોડલ પર કરશે વાત

બે દિવસ દરમિયાન પણ આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીના વીજળી મોડલ પર વાત કરશે. ગુજરાતમાં તેઓ વીજળીના મુદ્દે વાત કરશે. આપ પાર્ટીનો ગુજરાતમાં મુખ્ય મુદ્દો એ છે કે જો દિલ્લીમાં મફત વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં. ગુજરાતમાં હવે વીજળી મુદ્દે રાજકારણ ગરમાઈ શકે છે. મહત્વનું છે કે, શિક્ષણ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ભાજપ અને આપ પાર્ટી વચ્ચે રાજનીતિ ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શાળાની મુલાકાત લઈ ખામીઓ કાઢી હતી. તો બીજી તરફ ભાજપની એક ટીમ પણ દિલ્હીની સ્કૂલોના નિરીક્ષણ માટે પહોંચી ગઈ હતી. આમ ભાજપ અને આમ આદમી પાર્ટી શિક્ષણ મુદ્દે સીધી રીતે સામ-સામે આવી ગઈ હતી. હવે આવું જ રાજકારણ વીજળી મુદ્દે શરૂ થયું છે. આમ આદમી પાર્ટી સવાલ ઉઠાવી રહી છે કે, દિલ્લી અને પંજાબમાં જનતાને મફત વીજળી મળી રહી છે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં કેમ ન મળી શકે?

નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે અગાઉ તેઓ મે મહિનામાં પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">