AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો, મુસાફરોની સુવિધાને ધ્યાને લઈને મેટ્રો સ્ટેશન અને BRTSને જોડતો વોક-વે બનાવાશે

Ahmedabad: અમદાવાદીઓને હવે વધુ એક સુવિધાનો લાભ મળી શકશે. મેટ્રોમાં અને BRTS બસમાં મુસાફરી કરતા લોકો માટે AMC દ્વારા મેટ્રો સ્ટેશન અને BRTS સ્ટેન્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે. જેમા પહેલા રાણીપ મેટ્રો સ્ટેશન અને વાડજ મેટ્રો સ્ટેશન પર વોકવે બનાવી BRTS સાથે જોડવામાં આવશે.

અમદાવાદીઓની સુવિધામાં થશે વધારો, મુસાફરોની સુવિધાને ધ્યાને લઈને મેટ્રો સ્ટેશન અને BRTSને જોડતો વોક-વે બનાવાશે
મેટ્રો સ્ટેશન અને BRTSને જોડતો બનશે વોકવે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:05 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા વધારવા માટે વધુ એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુવિધા માટે AMTS, BRTS તથા મેટ્રો સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરીજનોની જરૂરિયાતોને ધ્યાને લઇને તેમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં મેટ્રોની શરૂઆત કરાઇ છે. મુસાફરોની સુવિધાને ધ્યાને લઇને મેટ્રો સ્ટેશનને BRTS સ્ટેન્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે.

પહેલા રાણીપ મેટ્રો સ્ટેશન અને હવે વાડજ મેટ્રો સ્ટેશન ખાતે વોક-વે બનાવીને BRTS સ્ટેન્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે. વોક-વેના કારણે મુસાફરો મેટ્રો સ્ટેશનથી સીધા BRTS સ્ટેન્ડ સુધી પહોંચી શકશે. પરિણામે સમય અને ટ્રાફિકની સમસ્યાથી મુસાફરોને મુક્તિ મળશે.

એક તરફ શહેરીજનો તંત્રની કામગીરીને આવકારી રહ્યા છે તો બીજી તરફ મેટ્રો સ્ટેશનના નામને લઇને પણ શહેરીજનો મુંઝવણમાં મુકાયા છે. અખબારનગર વિસ્તારમાં અખબારનગર BRTS સ્ટેન્ડ અને તેની પાસે જ વાડજ મેટ્રો સ્ટેશન નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ વિસ્તાર અખબારનગર તરીકે ઓળખાય છે. ત્યારે સ્ટેશનના નામની મુંઝવણના કારણે નિશ્ચિત સ્ટેશન ઉપર ઉતરી ન શકાતું હોવાની મુસાફરોની ફરિયાદ છે.

તો બીજી તરફ શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય વધારવામાં આવતા શહેરીજનોની મોટી રાહત મળી છે. આજથી મેટ્રો ટ્રેન સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. હાલમાં મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. હવે આ સેવામાં વધુ 4 કલાકનો વધારો કરાયો છે. અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gold Price Today : અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ 59000 ને પાર પહોંચ્યો, આ રીતે જાણો તમારા શહેરનો સોનાનો ભાવ

મેટ્રો ટ્રેનના સમયને વધારવાની સાથે ટ્રેન પણ દર 15 મિનિટે મળી રહેશે. 25 મિનિટની જગ્યાએ હવે આજથી દર 15 મિનિટે ટ્રેન મળી રહેશે. શહેરીજનોને સુવિધા રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમય મર્યાદામાં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ

બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
g clip-path="url(#clip0_868_265)">