AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ આપશે ચુકાદો

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારવામાં આવેલી સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ આપશે ચુકાદો
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:40 AM
Share

Ahmedabad : રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. રાહુલ ગાંધીને ( Rahul Gandhi ) ટ્રાયલ કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બે વર્ષની સજાના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવી છે. આ આદેશને પડકારતી અરજી હાઈકોર્ટમાં ( Gujarat High Court) અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે બધાની નજર આ ચુકાદા પર રહેલી છે.

આ પણ વાંચો : Ahmedabad : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 થી 12 જુલાઈ વચ્ચે ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં કેવો પડશે વરસાદ- જુઓ Video

માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી મળ્યો ઝટકો

મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં ( defamation case)  રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકને લઈ કરેલી વિવાદાસ્પદ ટીપણીને લઈ ફોજદારી માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી હોત તો લોકસભામાં તેમના સંસદસભ્ય પદ ગુમાવવુ ના પડ્યુ હોત. જો કે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે ગુજરાત હાઈકોર્ટમાં દ્વારા આજે નિર્ણય લઈ શકે છે.

માનહાનિના કેસમાં સુરત કોર્ટે ફટકારેલી બે વર્ષની સજામાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન મળ્યા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માગતી અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના જામીન યથાવત રહેશે.

ચુકાદો તરફેણમાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે

માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો જો રાહુલ ગાંધીની તરફેણમાં નહીં આવે તો તેઓ ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં તે નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ચુકાદો તરફેણમાં નહીં આવે તો કોંગ્રેસની સુપ્રીમમાં સજાને પડકાર આપશે.

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી નહી લડી શકે. આવી સ્થિતિમાં ગાંધી પરિવાારના નેતૃત્વ વિના કોંગ્રેસ 2024ની ચૂંટણી મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે પણ સવાલો અને શંકા ઉત્પન્ન થાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">