મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દકુમાર જગન્નાથે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી

પ્રવિન્દ કુમાર જગન્નાથે (Pravind Kumar Jagannath)આ પહેલા પીએમ મોદી સાથે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પણ ભાગ લીધો હતો. આજે તેમણે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દકુમાર જગન્નાથે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી
The Prime Minister of Mauritius Pravind Kumar Jagannath visited Andhajan Mandal in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:14 PM

મોરેશિયસના(Mauritius) વડાપ્રધાને (PM) અમદાવાદના (Ahmedabad) અંધજન મંડળની (Andhajan Mandal)મુલાકાત લીધી હતી. મોરેશિયસના વડાપ્રધાન અને તેમના પત્નીએ બે કાર્યક્રમો રદ્દ કરીને અંધજન મંડળની મુલાકાત લીધી જ્યાં દિવ્યાંગ બાળકોએ તેમનું સ્વાગત કર્યું. મોરેશિયસ વચ્ચે દિવ્યાંગોના વિકાસને લઇને કરાર કરવામાં આવ્યા છે ત્યારે તેઓએ મંડળની મુલાકાતને લઈને દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. જ્યાં તેમણે દિવ્યાંગ વિદ્યાર્થીનો ડાન્સ નિહાળ્યો સાથે મંડળમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશેની પણ માહિતી મેળવી હતી.

પ્રવિન્દકુમાર જગન્નાથે ગાંધીનગરમાં પીએમ મોદી સાથે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં ભાગ લીધો

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથ બે દિવસ ભારત પ્રવાસે હતા.ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી.પ્રવિન્દ કુમાર જગન્નાથે આ પહેલા પીએમ મોદી સાથે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પણ ભાગ લીધો હતો.આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે પ્રથમવાર આયુષ સેક્ટરને લઇ એક રોકાણ સંમેલન થઇ રહ્યું છે.કોરોના સંકટ સમયે આયુષ અન્ય ઉત્પાદનની સામે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદગાર સાબિત થયો.સાથે જ કહ્યું કે ભારત ટુંક સમયમાં પારંપારિક ઔષધિય ઉત્પાદનને માન્યતા આપવા માટે આયુષ ચિન્હ જાહેર કરશે.જે દેશના આયુષ ઉત્પાદકોની ગુણવત્તામાં પ્રામાણિકતા પ્રદાન કરશે.સાથે જ કહ્યું કે જે લોકો પારંપારિક સારવાર માટે ભારત આવે છે તેમના માટે જલ્દી જ આયુષ વીઝા શ્રેણી પણ જાહેર કરશે.તો મોરેશિયસના પીએમે ભારતને દુનિયાની ફાર્મસી ગણાવી અને કહ્યું કે મોરેશિયસમાં આયુષની પ્રથા લોકપ્રિય છે.અને અમે સ્વીકાર્યું છે કે પારંપારિક દવાઓ આધુનિક દવાની પૂરક છે..સાથે જ તેમણે દાવો કર્યો કે વિશ્વના 80 ટકા લોકો વિવિધ મૂળની પારંપારિક ચિકત્સાનો ઉપયોગ કરે છે.પારંપારિક ચિકિત્સા, સારવાર અને જ્ઞાનનું સંરક્ષણ કરવું જોઇએ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન મોરેશિયસ દ્વારા ગિફટ સિટીમાં રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.તો વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મોરેશિયસના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું હતું.મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચો :અમદાવાદ : હવામાન વિભાગની બે દિવસ વરસાદની આગાહી, જાણો કયાં પડશે વરસાદ ?

આ પણ વાંચો :Jamnagar : ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">