Ahmedabad : સુપ્રિમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશનના આ વોર્ડની શનિવારે હાથ ધરાશે પુન: મતગણતરી

|

May 06, 2022 | 5:44 PM

અમદાવાદ કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું.

Ahmedabad : સુપ્રિમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશનના આ વોર્ડની શનિવારે હાથ ધરાશે પુન: મતગણતરી
Ahmedaad Corporation (File Image)

Follow us on

અમદાવાદ મહાનગર પાલિકામાં(AMC)2021માં યોજાયેલી ચૂંટણીમાં 23 ફેબ્રુઆરી થયેલી મતગણતરીમાં(Recounting) કુબેરનગર વોર્ડમાં(Kubernagar)ઉભી થયેલી વિજેતા ઉમેદવાર અંગેની વિસંગતા બાદ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શનિવારે આ વોર્ડની પુન: મત ગણતરી કરવામાં આવશે. વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા ભાજપ પાસે આવી હતી. જેમાં  અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું. જેને લઈ જગદીશભાઈ હાઇકોર્ટમાં ગયા હતા.

જો કે ત્યાં અરજી ફગાવતા ઉમેદવાર જગદીશ મોહનાણી હાર્યા નહિ એ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા જ્યાં સુપ્રીમ કોર્ટ દવારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ શનિવારે એલ ડી એન્જીનીયરીંગ ખાતે પુનઃ મતગણતરી થશે. જે મતગણતરીને લઈને અરજદાર જગદીશ મોહનાણીએ ન્યાય તંત્રની પ્રક્રિયા પર વિશ્વાસ મૂકી જે પરિણામ આવે તેને સ્વીકારવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા શનિવારે મતગણતરી હાથ ધરાશે. જેમાં મતગણતરીને લઈને શુક્રવારે સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ એલ ડી કોલેજ લઈ જવાયા. પોલીસના બંદોબસ્ત વચ્ચે ઇવીએમ લઈ જવાયા. જેથી ફરી કોઈ વિવાદ ઉભો ન થાય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અમદાવાદ મહાનગરપાલિકાની કુબેરનગર વોર્ડની મતગણતરીમાં 2021માં ચુંટણી લડેલા ઉમેદવારોને નીચે મુજબ મત મળ્યા હતા.

1) ઊર્મિલાબેન પરમાર  કોંગ્રેસના ઉમેદવારને 18407 મત મળ્યા હતા.

1) મનીષાબેન વાઘેલા ભાજપના ઉમેદવાર15235ને મત મળ્યા હતા.

2) કામિનીબેન ઝા કોંગ્રેસના ઉમેદવારને 17697 મત મળ્યા હતા

2) ગીતાબેન ચાવડા ભાજપના ઉમેદવારને 17656  મળ્યા હતા

3) નિકુલસિંહ તોમર કોંગ્રેસ ઉમેદવારને 17292  મત મળ્યા હતા

3) પવન શર્મા ભાજપના ઉમેદવારને  15437 મત મળ્યા હતા

4)જગદીશભાઈ મોહનાણી કોંગ્રેસના ઉમેદવારને 16992  મત મળ્યા હતા

4) રાજા રતવાણી ભાજપના ઉમેદવારને 14778 મત મળ્યા હતા.

જ્યારે વર્ષ 2015માં જગદીશ મોહનાણી ચૂંટણી લડ્યા અને તેમાં તેઓ હાર્યા હતા. જે બાદ 2021ની ચૂંટણીમાં જગદીશ મોહનાણી ચૂંટણી લડયા હતા. તેમના સ્થાને ભાજપના ગીતા ચાવડાને વિજેતા જાહેર કરાયા હતા. અને જો પુનઃ મત ગણતરીમાં પરિણામ ધારેલું આવે તો કુબેરણગર વોર્ડમાં જગદીશ મોહનાણીને વિજેતા જાહેર કરાતા ભાજપનો ગઢ ગણાતી બેઠક પર ચાર બેઠક કોંગ્રેસની થશે અને જો જે હતું તે જ પરિણામ આવશે તો જગદીશ મોહનાણીની ફરી હાર થશે.

Published On - 5:32 pm, Fri, 6 May 22

Next Article