Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને લઈને નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા

સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ઉપર એન્ટ્રી ગેટ ખાતે સ્કેનર મશીન જોવા મળતા હોય છે. જે મશીન દ્વારા મુસાફરો એરપોર્ટની અંદર કે હવાઈ જહાજમાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા અટકાવી શકાય. જો કે આ વિધાનસભા ચૂંટણી દરમિયાન એરપોર્ટ ખાતે એન્ટ્રી ગેટની સાથે એક્ઝિટ એટલે કે અરાઇવલ ગેટ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને લઈને નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા
નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:52 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા 2022 ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે મતદાનને લઈને તેમજ મત ગણતરી ને લઈને વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો સાથે જ ચૂંટણી દરમિયાન નાણાકીય હેરફેર માટે પણ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ઉપર વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટ્રી ગેટ ખાતે સ્કેનર મશીન જોવા મળતા હોય છે. જે મશીન દ્વારા મુસાફરો એરપોર્ટની અંદર કે હવાઈ જહાજમાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા અટકાવી શકાય. જો કે આ વિધાનસભા ચૂંટણી દરમિયાન એરપોર્ટ ખાતે એન્ટ્રી ગેટની સાથે એક્ઝિટ એટલે કે અરાઇવલ ગેટ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કારણ કે ચૂંટણી દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયા પ્રચાર પ્રસારમાં ખર્ચ કરતા હોય છે. જેના કારણે નાણાકીય હેરફેરમાં વધારો થતો હોય છે. તેના કારણે આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે આ જ ઘટનાઓને રોકવા અને નાણાકીય હેરફેરને રોકવા માટે અમદાવાદ એરપોર્ટના અરાઇવલ ગેટ પર પણ વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખીને સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ મુસાફર વધારે સંખ્યામાં નાણાં લઈને આવે તો તેના પર ત્યાંથી જ કાર્યવાહી કરીને અટકાવી શકાય.

એટલું જ નહીં પરંતુ અમદાવાદ એરપોર્ટ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો તેમજ ચૂંટણી પંચની ટીમો પણ કાર્યરત છે. જે ટીમો નાણાકીય હેરફેર તેમજ અન્ય ચૂંટણી લક્ષી પ્રક્રિયા પર સતત ધ્યાન આપી રહી છે. સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપવા તેમજ નાણાકીય હેરફેર ની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એરપોર્ટ ખાતે સીઆઇએસએફના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે સંખ્યા પહેલા 700 આસપાસ હતી, તે વધારીને 1 હજાર કરવામાં આવી. સાથે જ સીઆઇએસએફના જવાનોની પણ રજા ચૂંટણી સંદર્ભે ધ્યાને રાખીને રદ કરવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઉલ્લેખનીય છે કે, 2017માં ચૂંટણી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નાણાકીય હેરફેરના અંદાજે પાંચ જેટલા કેસો થયા હતા. જે ઘટના આ વિધાનસભા ચૂંટણી દરમિયાન ન બને તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ જો કોઈ વ્યક્તિ 10 લાખથી વધારેની નાણાકીય હેરફેર કરશે, તો તેની ઇન્કમટેક્સ વિભાગને જાણ કરીને ચૂંટણી પંચ કાર્યવાહી કરશે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને આવી નાણાકીય હેરફેર કરનાર લોકો પર અંકુશ લાવી શકાય.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">