AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : RSSના વડા મોહન ભાગવત આજે અમદાવાદમા, સાંજે સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં કરશે સંબોધન,જુઓ Video

આજે શુક્રવારે RSS વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવવાના છે. મોહન ભાગવત આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતમાં અલગ અલગ બેઠકો કરશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં સ્વયંસેવકોને આજે સંબોધન કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 11:34 AM
Share

લોકસભાની 2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. RSS વડા મોહન ભાગવત આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. મોહન ભાગવત આજે  GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મોહન ભાગવત આજે અને આવતી કાલે ગુજરાતમાં અનેક બેઠકો કરશે. આજે સાંજે મોહન ભાગવત સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં સ્વયંસેવકોને સંબોધન કરશે. સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહેવાની ધારણા છે.

આ પણ વાંચો : Tender Today : અમદાવાદના નિર્ણયનગર અન્ડરબ્રીજ પાસે લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર જાહેર

લોકસભા ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન એક સૂચક બાબત

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન પણ કરતા હોય છે.

આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર RSSનું શક્તિ પ્રદર્શન

2024ની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજે મોહન ભાગવત ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. 14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ ગુજરાતમાં અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ સંબોધન કરવાના છે. જેમાં 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.

વર્ષ 2015 પછી હવે ગુજરાતમાં જંગી સભા સંબોધશે

વર્ષ 2015માં મોહન ભાગવતે ગુજરાતની અંદર જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. ત્યાર બાદ આટલા સમયે ફરી એકવાર મોહન ભાગવત સભા સંબોધન કરવા જઇ રહ્યા છે. કાર્યકર્તાઓમાં નવો જોશ પુરવાની વાત હોય કે પછી સ્વયંસેવકોને એક પ્રકારના ટાસ્ક આપવાની વાત હોય, મોહન ભાગવત હંમેશા કાર્યકરોને પ્રોત્સાહન આપતા રહે છે.

એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા મોહન ભાગવત આવ્યા હતા ગુજરાત

થોડા દિવસ અગાઉ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ ખાતે આવ્યા હતા. જેઓ 3 એપ્રિલના રોજ અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. RSS ના વડા મોહન ભાગવત સવારે 9:30 કલાકે શિવાનંદ આશ્રમ પહોંચ્યા હતા. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">