IPL 2022: અમદાવાદની નવી ટીમના હેડ કોચ તરીકે જોડાઇ શકે છે રવિ શાસ્ત્રી!, વિશ્વકપ બાદ થશે ચિત્ર સ્પષ્ટ
રવિ શાસ્ત્રી (Ravi Shastri) ભારતના મુખ્ય કોચ છે, ભરત અરુણ બોલિંગ કોચ છે અને શ્રીધર ફિલ્ડિંગ કોચ છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) બાદ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનશે.
રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને તેમના સાથી ભરત અરુણ અને આર શ્રીધર ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પછી ભારતીય ટીમ (Team India) છોડી દેશે. આ ટૂર્નામેન્ટની સાથે જ તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે અને હવે તે ટીમ ઈન્ડિયા સાથે વધુ રહેવા માંગતો નથી. એવા સમાચાર છે કે રવિ શાસ્ત્રી અને તેના સાથી ખેલાડીઓ IPL ટીમ સાથે જોડાઈ શકે છે. હાલમાં જ તેનું નામ IPL ની નવી ટીમ અમદાવાદ (Ahmedabad) સાથે જોડાઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટસ મુજબ અમદાવાદ ફ્રેન્ચાઇઝીના માલિક CVC કેપિટલ્સે UAEમાં રવિ શાસ્ત્રી, ભરત અરુણ અને આર શ્રીધરનો સંપર્ક કર્યો છે. એવું કહેવામાં આવે છે કે આ વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. કારણ કે શાસ્ત્રીએ કથિત રીતે T20 વર્લ્ડ કપ 2021 પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે. હાલમાં, રવિ શાસ્ત્રી ભારતના મુખ્ય કોચ છે, જ્યારે ભરત અરુણ બોલિંગ અને શ્રીધર ફિલ્ડિંગ કોચ છે. T20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનશે.
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાથી અલગ થયા બાદ રવિ શાસ્ત્રી ફરીથી કોમેન્ટ્રી કરતા જોવા મળી શકે છે. તે રમવાનું છોડી દીધા બાદ કોમેન્ટ્રીમાં સક્રિય હતા અને આ ક્ષેત્રમાં તેમનું મોટું નામ હતું. તેઓ 20 વર્ષથી આ ક્ષેત્રમાં સક્રિય હતા. પરંતુ 2014થી એક વર્ષ સિવાય તે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફનો ભાગ છે.
રવિ શાસ્ત્રી 2016માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા હતા. આ પછી કોમેન્ટ્રી છોડી દેવી પડી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિ શાસ્ત્રી કોમેન્ટ્રીને બદલે IPLમાં કોચિંગની નોકરી પસંદ કરી શકે છે. જો કે, આ અંગે રવિ શાસ્ત્રી અને અમદાવાદ ફ્રેન્ચાઈઝી બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઘણા બ્રોડકાસ્ટર્સે શાસ્ત્રીનો સંપર્ક કર્યો
રવિ શાસ્ત્રી IPLમાં કોચિંગની જવાબદારી નિભાવતી વખતે કોમેન્ટ્રીનું કામ પણ કરી શકે છે. અત્યારે વીવીએસ લક્ષ્મણ પણ એ જ રીતે સક્રિય છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર છે અને લાઇવ પ્રસારણકર્તા ચેનલ માટે કોમેન્ટ્રી પણ કરે છે. ઘણા બ્રોડકાસ્ટર્સે રવિ શાસ્ત્રીનો સંપર્ક કર્યો હોવાનું મનાય છે.
CVC કેપિટલ્સે રૂ. 5600 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીનું નામ આપ્યું હતું. આ પેઢી વિશ્વની અન્ય ઘણી સ્પોર્ટ્સ લીગમાં પણ ટીમો ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદની ફ્રેન્ચાઇઝી મેગા ઓક્શન પહેલા ટીમ બનાવવાની તમામ તૈયારીઓ કરવા માંગે છે. આ માટે તે જલ્દીથી સપોર્ટ સ્ટાફની પસંદગી કરવા માંગે છે, જેથી ખેલાડીઓને રિટેન કરવા અંગે નિર્ણય લઈ શકાય.