AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2023 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં લીધો ભાગ, જૂઓ Video

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને આરતીમાં જોડાયા હતા.

Rathyatra 2023 :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં લીધો ભાગ, જૂઓ Video
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 10:17 AM
Share

Ahmedabad : દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે.  આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) 146મી રથયાત્રા (Rathyatra 2023) નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. જે પહેલા વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Union Home Minister Amit Shah performs Mangla Aarti at Jagannath Temple, #JagannathRathYatra2023 #RathYatra2023 #AhmedabadRathYatra #Gujarat #RathYatra #TV9News pic.twitter.com/jUzOFEYLYp

સહ પરિવાર મંગળા આરતીમાં ભાગ લીધો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને આરતીમાં જોડાયા હતા.

દર વર્ષે મંગળા આરતીમાં લે છે ભાગ

અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સહપરિવાર પહોંચે છે અને સવારે 4 કલાકે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લે છે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં અવશ્ય ભાગ લે છે.

ગુજરાતના લોકોને વિકાસકાર્યોની મળશે ભેટ

મંગળા આરતી બાદ તેઓ  ગુજરાતના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.  તેઓ સવારે 9-15 વાગ્યે ન્યૂ રાણીપમાં AMC દ્વારા નવનિર્મિત પાર્કનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સવારે 9-30 વાગ્યે ચાંદલોડિયામાં AMC અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. સવારે 10 વાગ્યે તેઓ ક્રેડાઇ ગાર્ડન પીપલ્સ પાર્કનું લોકાર્પણ કરશે. જ્યારે કે સવારે 11-30 વાગ્યે અમિત શાહ બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે.

  • સવારે 3-45 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં રહેશે ઉપસ્થિત
  • સવારે 9-15 વાગ્યે ન્યૂ રાણીપમાં નવનિર્મિત પાર્કનું ઉદ્ઘાટન
  • સવારે 9-30 વાગ્યે ચાંદલોડિયામાં જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન
  • સવારે 10 વાગ્યે ક્રેડાઇ ગાર્ડન પીપલ્સ પાર્કનું લોકાર્પણ
  • સવારે 11-30 વાગ્યે બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">