AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2022: રથયાત્રા દરમિયાન બહાર નીકળવાના હો તો જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા, રથયાત્રાનો સમગ્ર માર્ગ રહેશે ‘નો પાર્કિંગ ઝોન’

અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળે છે તે સમગ્ર રૂટ આવતીકાલે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Rathyatra 2022: રથયાત્રા દરમિયાન બહાર નીકળવાના હો તો જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા, રથયાત્રાનો  સમગ્ર માર્ગ રહેશે 'નો પાર્કિંગ ઝોન'
Mihir Soni
| Edited By: | Updated on: Jun 30, 2022 | 7:10 AM
Share

અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળે છે તે સમગ્ર રૂટ આવતીકાલે નો પાર્કિંગ ઝોન (No parking zone)જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઓફિસ કે અન્યત્ર જનારા લોકોનો સમય ન બગડે અને શહેરમા સૂચારૂ ટ્રાફિક વ્યવસ્થા  જળવાઈ રહે તે માટે જમાલપુર મંદિરથી  રથયાત્રા નીકળીને પરત આવે  ત્યાં સુધી સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે  અન્ય વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે  જે આ પ્રમાણે છે.

રથયાત્રાનો રૂટ રહેશે નો પાર્કિંગ ઝોન

  1. અમદાવાદમાં રથયાત્રા વહેલી સવારે જમાલપુર જગ્નાનાથ મંદિરે થઇને ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે.
  2. સરસપુરમાં ભગવાનનું સ્વાગત મોસાળિયાઓ કરશે. અહીં રથયાત્રા વિરામ લેશે અને રથયાત્રામાં આવેલા ભક્તો અહીં જુદી જુદી પોળમાં ભોજન લેશે.
  3. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.
  4. રથયાત્રાના દિવસે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે. પહેલી જુલાઈએ આ તમામ રુટ પર વાહનચાલકો વાહન પાર્ક કરી શકશે નહીં. આ રુટ રથયાત્રાના દિવસે ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે જાહેર કરાયો છે. જે વાહનચાલકો આ રુટ પર વાહન પાર્ક કરશે તેમની સામે કાર્યવાહી કરાશે.

આવતીકાલે  વૈકલ્પિક માર્ગ રહેશે આ પ્રમાણે

રથયાત્રા પસાર થવાની છે તે સમગ્ર રૂટને  નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે વાહનચાલકો માટે વૈક્લિપક રૂટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જે આ મુજબ છે.

  1. વાહનચાલકો રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડન, રિવરફ્રન્ટ, ફુલબજાર, જમાલપુર બ્રિજ થઈને વાયા ગીતા મંદિર જઈ શકાશે.
  2. રાયખડ ચાર રસ્તાથી જમાલપુર, ગાયકવાડ હવેલી તરફ જવાશે.
  3. આસ્ટોડિયા ચાર રસ્તાથી ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી અને કામદાર ચાર રસ્તાથી હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, યમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઈદગાહ સર્કલ થઈને વાહનચાલકો જઈ શકશે.
  4. ઈન્કમટેક્ષ ગાંધી બ્રિજથી રાહત સર્કલ, દિલ્લી દરવાજા, ઈદગાહ સર્કલ તરફ જવાશે.
  5. દિલ્લી દરવાજાથી રાહત સર્કલ, દઘીચિ સર્કલ, રિવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર થઈને લાલ દરવાજા તરફ જઈ શકાશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જોકે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે.જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

જો વિગતે વાત કરીએ તો પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ- રીક્ષા. પૂર્વ સરકારી લીથો પ્રેસ BRTS કેબીનથી કાલુપુર 4 ઈ- રીક્ષા જશે,કાલુપુર રેલવે સ્ટેશનથી આવતા મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તોBRTS માં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે તેમજનારોલથી ગીતામંદિર થઈ કાલુપુરનો રૂટ પણ ચાલુ રહેશે.

જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલવાની રહેશે.આ ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">