Rathyatra 2022: રથયાત્રા દરમિયાન બહાર નીકળવાના હો તો જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા, રથયાત્રાનો સમગ્ર માર્ગ રહેશે ‘નો પાર્કિંગ ઝોન’

અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળે છે તે સમગ્ર રૂટ આવતીકાલે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Rathyatra 2022: રથયાત્રા દરમિયાન બહાર નીકળવાના હો તો જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા, રથયાત્રાનો  સમગ્ર માર્ગ રહેશે 'નો પાર્કિંગ ઝોન'
Rathyatra 2022: Alternative route arrangement during Rathyatra will be as follows, Rathyatra route will be no parking zone in Ahmedabad
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 30, 2022 | 7:10 AM

અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળે છે તે સમગ્ર રૂટ આવતીકાલે નો પાર્કિંગ ઝોન (No parking zone)જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઓફિસ કે અન્યત્ર જનારા લોકોનો સમય ન બગડે અને શહેરમા સૂચારૂ ટ્રાફિક વ્યવસ્થા  જળવાઈ રહે તે માટે જમાલપુર મંદિરથી  રથયાત્રા નીકળીને પરત આવે  ત્યાં સુધી સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે  અન્ય વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે  જે આ પ્રમાણે છે.

રથયાત્રાનો રૂટ રહેશે નો પાર્કિંગ ઝોન

  1. અમદાવાદમાં રથયાત્રા વહેલી સવારે જમાલપુર જગ્નાનાથ મંદિરે થઇને ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે.
  2. સરસપુરમાં ભગવાનનું સ્વાગત મોસાળિયાઓ કરશે. અહીં રથયાત્રા વિરામ લેશે અને રથયાત્રામાં આવેલા ભક્તો અહીં જુદી જુદી પોળમાં ભોજન લેશે.
  3. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.
  4. રથયાત્રાના દિવસે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે. પહેલી જુલાઈએ આ તમામ રુટ પર વાહનચાલકો વાહન પાર્ક કરી શકશે નહીં. આ રુટ રથયાત્રાના દિવસે ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે જાહેર કરાયો છે. જે વાહનચાલકો આ રુટ પર વાહન પાર્ક કરશે તેમની સામે કાર્યવાહી કરાશે.
  5. IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
    યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
    લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
    કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
    આજનું રાશિફળ તારીખ 26-04-2024
    લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આવતીકાલે  વૈકલ્પિક માર્ગ રહેશે આ પ્રમાણે

રથયાત્રા પસાર થવાની છે તે સમગ્ર રૂટને  નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે વાહનચાલકો માટે વૈક્લિપક રૂટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જે આ મુજબ છે.

  1. વાહનચાલકો રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડન, રિવરફ્રન્ટ, ફુલબજાર, જમાલપુર બ્રિજ થઈને વાયા ગીતા મંદિર જઈ શકાશે.
  2. રાયખડ ચાર રસ્તાથી જમાલપુર, ગાયકવાડ હવેલી તરફ જવાશે.
  3. આસ્ટોડિયા ચાર રસ્તાથી ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી અને કામદાર ચાર રસ્તાથી હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, યમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઈદગાહ સર્કલ થઈને વાહનચાલકો જઈ શકશે.
  4. ઈન્કમટેક્ષ ગાંધી બ્રિજથી રાહત સર્કલ, દિલ્લી દરવાજા, ઈદગાહ સર્કલ તરફ જવાશે.
  5. દિલ્લી દરવાજાથી રાહત સર્કલ, દઘીચિ સર્કલ, રિવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર થઈને લાલ દરવાજા તરફ જઈ શકાશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જોકે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે.જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

જો વિગતે વાત કરીએ તો પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ- રીક્ષા. પૂર્વ સરકારી લીથો પ્રેસ BRTS કેબીનથી કાલુપુર 4 ઈ- રીક્ષા જશે,કાલુપુર રેલવે સ્ટેશનથી આવતા મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તોBRTS માં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે તેમજનારોલથી ગીતામંદિર થઈ કાલુપુરનો રૂટ પણ ચાલુ રહેશે.

જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલવાની રહેશે.આ ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">