AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Schedule Update: અમદાવાદ અને પાલનપુર સ્ટોપેજ કરતી કેટલીક એક્સ્પ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારથી બદલાશે સમય

Ahmedabad, Palanpur Railway Schedule Update: ટ્રેનના પરિચાલન કારણોસર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનના સમયમાં 25 મિનિટ જેટલો બદલવામાં આવ્યો છે.

Railway Schedule Update: અમદાવાદ અને પાલનપુર સ્ટોપેજ કરતી કેટલીક એક્સ્પ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારથી બદલાશે સમય
Ahmedabad, Palanpur Railway Schedule Update
Darshal Raval
| Edited By: | Updated on: Jul 09, 2023 | 12:11 AM
Share

અમદાવાદ થી પાલપુર તરફ આવ-જા કરતી ટ્રેનોના સ્ટોપેજના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનના પરિચાલન કારણોસર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનના સમયમાં 25 મિનિટ જેટલો બદલવામાં આવ્યો છે. સાબરમતી અને પાલનપુર રેલવે સ્ટેશન પર આવવા અને જવાના સમયમાં ફેરફા કરવામાં આવ્યો છે. આ માટેની એક યાદી બહાર પાડીને વેસ્ટર્ન રેલવેએ મુસાફરોને માટે જાણકારી આપી છે.

જ્યારે અમદાવાદ થી પસાર થતી ત્રણેક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. ડબલિંગ ટ્રેકના સંબંધે નોન ઈન્ટરલોકિંગના કામને લઈ ટ્રેન ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ ટ્રેન રવિવારે ડાયવર્ટ કરેલા રુટ પરથી પસાર થશે. પુણે મંડળમાં આ કામગીરી ચાલુ હોવાને લઈ ટ્રેનને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ અંગેની જાણકારી વેસ્ટર્ન રેલવેએ જાહેર કરી હતી.

કઈ ટ્રેનના સમયમાં કરાયો છે ફેરફાર જાણો

  1. આગ્રા કેન્ટ-સાબરમતી (ટ્રેન નં.12547) એક્સપ્રેસ ટ્રેનઃ સમયમાં 25 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી સ્ટેશન પર 11.55 કલાકે આગમનને બદલે હવે 12.20 કલાકે આવશે. સમય ફેરફાર તા. 10 જુલાઈ 2023 થી લાગુ પડશે.
  2. ગ્વાલિયર-સાબરમતી (ટ્રેન નં. 22547) એક્સપ્રેસઃ સમયમાં 25 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી સ્ટેશન પર 11.55 કલાકે આગમનને બદલે હવે 12.20 કલાકે આવશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો છે.
  3. કોચુવેલી-શ્રીગંગાનગર (ટ્રેન નંબર 16312) એક્સપ્રેસઃ સમયમાં 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર 10.25 કલાકે આગમનને બદલે હવે 10.35 કલાકે આવશે. જ્યારે 10.37 એ ઉપડશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો છે.
  4. શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન નંબર 14701) અરાવલી એક્સપ્રેસઃ સમય 10 મિનિટ વહેલા કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર સાંજે 18.00 કલાકે આગમનને બદલે હવે 17.50 કલાકે આવશે. જ્યારે 17.55 કલાકે (સાજે 5.55 વાગ્યે) ઉપડશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  5. સાબરમતી-દૌલતપુર ચોક (ટ્રેન નંબર 19411) એક્સપ્રેસઃ સમયમાં 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર 12.15 કલાકે આગમનને બદલે હવે 12.25 કલાકે આવશે. જ્યારે 12.27 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  6. ભાવનગર-ઉધમપુર (ટ્રેન નંબર 19107) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  7. મહેસાણા-આબુરોડ ડેમુ (ટ્રેન નંબર 09437) સ્પેશિયલ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર સાંજે 19.48 કલાકે ( સાંજે 7.48 વાગ્યે) આગમનને બદલે હવે 19.53 કલાકે ( સાંજે 7.53 વાગ્યે) આવશે. જ્યારે 19.55 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  8. અમદાવાદ-લખનૌ (ટ્રેન નંબર 19401) એક્સપ્રેસ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 10 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  9. અમદાવાદ-ગોરખપુર (ટ્રેન નંબર 19409) એક્સપ્રેસઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 13 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.

રવિવારે આ ત્રણ ટ્રેનના રુટ ડાયવર્ટ કરાયા

9, જુલાઈએ અમદાવાદ ડિવિઝનથી આવન-જાવન કરતી ત્રણ ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય રેલવે ના પુણે મંડળ વિસ્તારમાં નાંદ્રે અને સાંગલી સેક્શન પર ડબલિંગના સંબંધે નોન ઈન્ટરલોકિંગ અંગે કામકાજ કરાશે. આ કાર્યને લઈ કેટલીક ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈ અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, અજમેર-મૈસુર એક્સપ્રેસ અને કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. જે ટ્રેનોના ડાયવર્ટ રુટ નિચે મુજબ છે.

  • અમદાવાદ-કોલ્હાપુર (ટ્રેન નંબર 11049) એક્સપ્રેસ ટ્રેનઃ ડાયવર્ટ કરાયેલા રૂટ મુજબ ટ્રેન વાયા દૌંડ-કુર્ડૂવાડી -મિરજ થઈને દોડશે.
  • અજમેર-મૈસુર (ટ્રેન નંબર 16209) એક્સપ્રેસ ટ્રેનઃ ડાયવર્ટ કરાયેલા રૂટ મુજબ ટ્રેન વાયા દૌંડ-કુર્ડૂવાડી -મિરજ થઈને દોડશે.
  • કેએસઆર બેંગલુરુ-જોધપુર (ટ્રેન નંબર 16534) એક્સપ્રેસ ટ્રેનઃ ડાયવર્ટ કરાયેલા રૂટ મુજબ ટ્રેન વાયા મિરજ -કુર્ડૂવાડી -દૌંડ થઈને દોડશે.

આ પણ વાંચોઃ  Monsoon 2023: સાબરમતી અને દાંતીવાડામાં સતત પાણીની નવી આવક, ધરોઈ ડેમની સપાટી 611 ફુટ પહોંચી

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">