AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: અમદાવાદ રેલવે મંડળ ખાતે શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’ નો પ્રારંભ

અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

Railway News: અમદાવાદ રેલવે મંડળ ખાતે શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’ નો પ્રારંભ
Darshal Raval
| Edited By: | Updated on: Sep 15, 2023 | 6:49 PM
Share

પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં 15 સપ્ટેમ્બરે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા. તે સાથે મંડળ ખાતે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે 02 ઓક્ટોબર, 2023 સુધી રોજ જુદી જુદી કામગીરી દ્વારા ઊજવાશે.

સ્વચ્છતા પખવાડિયા સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાન દરમિયાન રેલવે સ્ટેશનો સુધી પહોંચતા ટ્રેકની સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. આ સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસે એક વિશેષ સંકલ્પ નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત

‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત 16 સપ્ટેમ્બરે ‘સ્વચ્છતા જાગૃતિ’,

  1. 17 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સંવાદ’
  2. 18 અને 19 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સ્ટેશન’,
  3. 20 અને 21 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ રેલગાડી’,
  4. 22 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ ટ્રેક’,
  5. 23 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ કાર્યાલય, સ્વચ્છ કોલોની તેમ જ સ્વચ્છ પરિસર’,
  6. 24 અને 25 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ આહાર’,
  7. 26 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ નીર’,
  8. 27 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ જળાશય અને પાર્ક’
  9. 28 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રસાધન અને પર્યાવરણ’
  10. 29 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રતિયોગિતા’
  11. 30 સપ્ટેમ્બરે ‘નો સિંગલ યુઝ પ્લાસ્ટિક’
  12. 1 ઓક્ટોબરે ‘સ્વચ્છતા પખવાડિયા’ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા તેમ જ સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવશે.
  13. 2 ઓક્ટોબર 2023ના રોજ ગાંધી જયંતીના પ્રસંગે વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન સેવા દિવસ રૂપે મનાવવામાં આવશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">