AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: અમદાવાદ રેલવે મંડળ ખાતે શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’ નો પ્રારંભ

અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

Railway News: અમદાવાદ રેલવે મંડળ ખાતે શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’ નો પ્રારંભ
Darshal Raval
| Edited By: | Updated on: Sep 15, 2023 | 6:49 PM
Share

પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં 15 સપ્ટેમ્બરે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા. તે સાથે મંડળ ખાતે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે 02 ઓક્ટોબર, 2023 સુધી રોજ જુદી જુદી કામગીરી દ્વારા ઊજવાશે.

સ્વચ્છતા પખવાડિયા સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાન દરમિયાન રેલવે સ્ટેશનો સુધી પહોંચતા ટ્રેકની સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. આ સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસે એક વિશેષ સંકલ્પ નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત

‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત 16 સપ્ટેમ્બરે ‘સ્વચ્છતા જાગૃતિ’,

  1. 17 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સંવાદ’
  2. 18 અને 19 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સ્ટેશન’,
  3. 20 અને 21 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ રેલગાડી’,
  4. 22 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ ટ્રેક’,
  5. 23 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ કાર્યાલય, સ્વચ્છ કોલોની તેમ જ સ્વચ્છ પરિસર’,
  6. 24 અને 25 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ આહાર’,
  7. 26 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ નીર’,
  8. 27 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ જળાશય અને પાર્ક’
  9. 28 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રસાધન અને પર્યાવરણ’
  10. 29 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રતિયોગિતા’
  11. 30 સપ્ટેમ્બરે ‘નો સિંગલ યુઝ પ્લાસ્ટિક’
  12. 1 ઓક્ટોબરે ‘સ્વચ્છતા પખવાડિયા’ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા તેમ જ સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવશે.
  13. 2 ઓક્ટોબર 2023ના રોજ ગાંધી જયંતીના પ્રસંગે વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન સેવા દિવસ રૂપે મનાવવામાં આવશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">