વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે, જાણો શું છે આજનો કાર્યક્રમ

|

Feb 22, 2024 | 7:58 AM

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત મુલાકાતે છે. ત્રણ દિવસની આ મુલાકાત ખુબજ મહત્વની રહેશે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને અનેક ભેટ આપવાના છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, નવસારીમાં વડાપ્રધાનના આગમન પહેલા તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે, જાણો શું છે આજનો કાર્યક્રમ

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આજથી એટલે કે 22 તારીખ તથા 24 અને 25મી દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, નવસારીની તેઓ મુલાકાત લેવાના છે. સાથે સાથે વિકાસની અનેક ભેટ પણ આપશે.

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત મુલાકાતે છે. ત્રણ દિવસની આ મુલાકાત ખુબજ મહત્વની રહેશે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને અનેક ભેટ આપવાના છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, નવસારીમાં વડાપ્રધાનના આગમન પહેલા તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

22 ફેબ્રુઆરી 2024નો કાર્યક્રમ

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024એ તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થશે. 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 01:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 02:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 04:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા યોજાશે.06:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. તેઓનો આ વખતનો પ્રવાસ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં થવાનો છે. અલગ અલગ વિસ્તારોમાં તેઓ સભા અને વિકાસકાર્યોની શરૂઆત કરાવશે.

સૌરાષ્ટ્ર ઝોનનો પ્રવાસ કેમ મહત્વનો ?

વડાપ્રધાન મોદીનો સૌરાષ્ટ્ર ઝોનનો પ્રવાસ મહત્વનો છે. બે અલગ અલગ શહેરોમાં એ સુવિધાની શરૂઆત થવા જઈ રહી છે કે જેની રાહ લોકો અનેક સમયથી જોઈ રહ્યા હતા. રાજકોટમા AIIMS અને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ હવે લોકોને સમર્પિત થવા જઇ રહ્યો છે. આ બંન્નેની શરૂઆત બાદ લોકોની ઘણી તકલીફોમાં આરામ મળશે. મેડિકલ ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓએ સારવાર માટે બહાર નહી જવુ પડે અને બ્રિજને લીધે દ્વારકા દર્શને જતા લોકોને મોટી રાહત અનુભવાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:44 am, Thu, 22 February 24

Next Article