AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિભાજન વિભિષિકા સ્મારક દિવસ નિમિત્તે અમદાવાદ રેલવે મંડળના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શન યોજાયું

અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મારક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ દેશના એ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે.

વિભાજન વિભિષિકા સ્મારક દિવસ નિમિત્તે અમદાવાદ રેલવે મંડળના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શન યોજાયું
photo exhibition
Darshal Raval
| Edited By: | Updated on: Aug 14, 2023 | 10:38 PM
Share

Ahmedabad : 15 ઓગસ્ટ પહેલા પશ્ચિમ રેલવેના (Western Railway) અમદાવાદ મંડળમાં 14 ઓગસ્ટના રોજ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં અમદાવાદ મંડળના સાબરમતી, અમદાવાદ, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને પાટણ સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મારક દિવસની ઉજવણી

અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મારક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ દેશના એ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે અવિવેક પૂર્વક નફરત અને હિંસાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો Independence Day 2023 : સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન તિરંગાના રંગે રંગાયા

Photo Exhibition

Photo Exhibition

રેલવે મંડળના સાબરમતી, અમદાવાદ, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને પાટણ સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ ફોટો પ્રદર્શન લાખો નાગરિકોની હ્રદયસ્પર્શી પીડા અને વેદનાને ઉજાગર કરવા ઈતિહાસના અવિશ્વસનીય તથ્યો દર્શાવે છે. જેઓએ દેશના ભાગલા વખતે સહન કર્યું. આ પ્રદર્શન છેલ્લી સદીમાં માનવ વસ્તીના સૌથી મોટા વિસ્થાપનને યાદ કરે છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Photo Exhibition

Photo Exhibition

સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને અમદાવાદ રેલ્વે વિભાગ દ્વારા સન્માનિત કરાયા

14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને અમદાવાદ રેલ્વે વિભાગ દ્વારા આમંત્રિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલુ પ્રવૃત્તિઓમાં 4 ઓગસ્ટના રોજ હોરર પાર્ટીશન રિમેમ્બર્સ ડેનું આયોજન કરવાના પરિણામે આ પ્રદર્શનની સાથે સાબરમતી સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં શેરી નાટકો પણ ભજવાયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">