AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના : ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

ઓરેવા કંપની સંચાલક અને કેબલ બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ ભાલોડિયા ઉર્ફે જયસુખ પટેલ પણ આ કેસમાં આરોપી તરીકે પકડવામાં આવ્યા હતા. જેની કાયમી અને હંગામી જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના : ઓરેવા કંપનીના  સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
Ronak Varma
| Edited By: | Updated on: Nov 03, 2023 | 9:47 AM
Share

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. નિયમિત જામીન અરજી સાથે હંગામી જામીન અરજી પર પણ સુનાવણી થશે. હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી દરમિયાન SITએ પણ રિપોર્ટ દાખલ કર્યો છે.

30 ઓકટોબર 2022ના રોજ મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેવામાં ગુજરાત પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી તપાસ ચાલું કરી હતી. જેમાં સમય જતા ઓરેવા કંપનીનાં સંચાલક જયસુખ ભાલોડીયા ઉર્ફે પટેલ સહિત અનેક લોકો સામે ગુનો નોંધાયો હતો અને બાદમાં તમામની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઓરેવા કંપની સંચાલક અને કેબલ બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ ભાલોડિયા ઉર્ફે જયસુખ પટેલ પણ આ કેસમાં આરોપી તરીકે પકડવામાં આવ્યા હતા. જેની કાયમી અને હંગામી જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે આ ઘટના બાદ રાજ્ય સરકારે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને સંબંધિત કેસમાં વિશેષ એસ.આઇ.ટી નો ગઠન કરીને ઘટનાની તપાસ આપી હતી જેમાં એસઆઈટી એ પોતાનો તપાસ અહેવાલ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજીમાં રજૂ કર્યો હતો જેમા એસ.આઇ.ટી.એ જણાવ્યું હતું કે જુલતા પુલની સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની સંભાળી રહી હતી પરંતુ કોઈ પણ જાતની મંજૂરી અને ટેસ્ટ કર્યા વિના બ્રિજને સમારકામ બાદ ખોલી દેવામાં આવ્યો હતો અને કરતા વધારે લોકોને બ્રિજ ઉપર જવા દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ સમારકામમાં પણ કેટલીક ગંભીર બેદરકારીઓ તપાસ દરમિયાન સામે આવી હતી.

આ પણ વાંચો-  અમદાવાદમાં ચાર બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગનો સપાટો, 150થી વધુ અધિકારીઓ દ્વારા શરુ કરાઇ તપાસ

ઓરેવા કંપનીના સંચાલક જયસુખ ભાલોડીયા જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માંગતી અરજી દરમિયાન રજૂઆત કરી કે આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે અને પોતે સિનિયર સિટીઝન છે ઉપરાંત અન્ય મુદ્દાઓને ધ્યાન રાખીને તેમને જામીન આપવામાં આવે.

સંબંધિત કેસમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી અને જયસુખ પટેલની જામીન અરજી નો વિરોધ કરતા જણાવવામાં આવ્યું કે તેઓને નાણાકીય વળતર જ નહીં પરંતુ યોગ્ય ન્યાયની અપેક્ષા છે માટે ન્યાય ન મળે ત્યાં સુધી તેમને જામીન આપવામાં ન આવે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
g clip-path="url(#clip0_868_265)">