કોરોના બેફામ, લોકો બેદરકાર: અમદાવાદમાં માત્ર 2 દિવસમાં અઢળક લોકો માસ્ક વગર પકડાયા, તંત્રએ લાખોનો દંડ વસુલ્યો

Ahmedabad: કોરોના બેફામ રીતે વધી રહ્યો છે. તેમ છતાં લોકો બેદરકારી છોડી નથી રહ્યા. અમદાવાદમાં માત્ર 2 દિવસમાં 1850 લોકો માસ્ક વગર ઝડપાયા છે.

કોરોના બેફામ, લોકો બેદરકાર: અમદાવાદમાં માત્ર 2 દિવસમાં અઢળક લોકો માસ્ક વગર પકડાયા, તંત્રએ લાખોનો દંડ વસુલ્યો
violating the rules of mask (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 1:35 PM

Corona in Ahmedabad: રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) અમદાવાદ (Ahmedabad) બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે છેલ્લા 5 દિવસમાં કોરોનાના કેસ વધ્યા છે તે ચિંતાજનક છે. અમદાવાદમાં 4 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 1,290 કેસ નોંધાયા છે. તેમ છતાં લોકો સાવ બેદરકાર બની ગયા હોય એમ લાગે છે. લોકો ઠેર ઠેર માસ્ક અને સામાજિક અંતર વગર ફરતા જોવા મળે છે.

18 લાખનો દંડ ઉઘરાવાયો

તો આ વચ્ચે એક મીડિયા અહેવાલ ચોંકાવનારો છે. અહેવાલ અનુસાર અમદાવાદમાં માત્ર 2 દિવસમાં માસ્ક ન પહેરનાર 1800 થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જી હા 1850 લોકો એવા પકડાયા છે જે બેદરકાર બનીને માસ્ક વગર ફરી રહ્યા હતા. તો આ લોકો પાસેથી લગભગ 18 લાખ રૂપિયા જેટલો દંડ પણ તંત્ર દ્વારા ઉઘરાવવામાં આવ્યો છે.

4 દિવસમાં 4 ગણા કેસ વધ્યા

છેલ્લા પાંચ દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો, 31 ડિસેમ્બરે અમદાવાદમાં 311 કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીએ કોરોનાના 559 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ 2 જાન્યુઆરીએ થોડા ઘટાડા સાથે 436 કેસ નોંધાયા. તો 3 જાન્યુઆરીએ એક દિવસમાં નોંધાતા કેસ વધીને 631 પર પહોંચી ગયા. 4 જાન્યુઆરીએ આ આંકડો સીધો ડબલ થઈ ગયો. 4 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 1,290 પોઝિટિવ કેસ નોંધાયા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

IMAએ રાજ્ય સરકારને ચેતવી

તો વધી રહેલા સંક્રમણને પગલે IMAએ રાજ્ય સરકારને (Gujarat Government) સૂચન સાથે ગર્ભિત ભાષામાં ચેતવણી આપી છે. સરકારને સામાજીક તથા રાજકીય મેડાવળા બંધ કરવાની સલાહ આપી છે. સાથે જ સ્કૂલો ફરીથી ઓનલાઈન કરીને, રેસ્ટોરન્ટ તથા થિયેટરોમાં 50 ટકા ક્ષમતા કરવા અનુરોધ કર્યો છે.

એક તરફ ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો ઓમિક્રોનની આફત વચ્ચે ધાર્મિક, સામાજીક અને રાજકીય મેડાવળાઓ જોરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે 7 મુદ્દાની એડવાઇઝરી જાહેર કરીને IMAએ સરકારને કેટલાક પગલા ભરવા માટે સૂચનો કર્યા છે. જેમાં કોરોના ગાઇડલાઇનના કડક પાલન સાથે જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારા લોકોને પ્રવેશ આપવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: ગયા વર્ષે 32 હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે ગુજરાતે ફાળવ્યું, નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ કરવા ગુજરાત કટિબદ્ધ : CM

આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને CMની મંજૂરી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">