Happy Birthday Ahmedabad: ફાફડા જલેબીથી માંડીને, લગ્નસરાની ખરીદી માટે જાણીતું અમદાવાદ સાચવીને બેઠું છે અનેક સ્મૃતિ

|

Feb 26, 2023 | 12:19 PM

કવિ આદિલ મન્સૂરીની જેમ જ આ શહેરના લોકો વિવધ બાબતો સાથે સંકળાયેલા છે તે પછી શહેરની જાણીતી ચા હોય કે ફાફડા જલેબી કે પછી સ્થાપત્યનો વારસો. અમદાવાદ છોડીને ગયેલા લોકો પાછા આવે ત્યારે આ તમામ સ્થળોની મુલાકાતે પહોંચી જતા હોય છે તો સ્વાદ રસિકો પણ વિવિધ વસ્તુની જ્યાફ્ત માણવા પહોંચી જતા હોય છે.

Happy Birthday Ahmedabad: ફાફડા જલેબીથી માંડીને, લગ્નસરાની ખરીદી માટે જાણીતું અમદાવાદ સાચવીને બેઠું છે અનેક સ્મૃતિ

Follow us on

અમદાવાદ શહેરનો આજે 613મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ નગરમાં ખાણીપીણીની જમાવટથી માંડીને વસ્ત્રોની ખરીદી માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, અમદાવાદમાં ફરવા આવતા લોકો શહેરના ચંદ્રવિલાસના ફાફડા જ્લેબીને ન ભૂલે તેમજ લાલ દરવાજા અને ભદ્ર પાસે ભરાતા વસ્ત્રોનું માર્કેટ તેમજ લગ્નસરાની ખરીદી માટે રતનપોળ માર્કેટ ખૂબ જ પ્રખ્યાત છે.

સ્વાતંત્ર્ય સગ્રામની અનેક સ્મૃતિઓ સાચવીને બેઠેલા આ શહેર માટે કવિ આદિલ મન્સૂરીની નદીની રેતમાં રમતું નગર મળે કે ન મળે તે ખૂબ જાણીતી રચના છે અને તેની સાથે જોડાયેલો પ્રસંગ પણ ખૂબ જાણીતો છે કે જ્યારે કવિ આદિલ મન્સૂરીને વિદેશમાં વસવાટ કરવા માટે વતનની વાત છોડવી પડી ત્યારે તેમણે અમદાવાદને સ્મૃતિ પટ ઉપર રાખીને એક ગઝલની રચના કરી હતી.

કવિએ બર્મિંગહામના એક મુશાયરામાં આ મળે કે ન મળે ગઝલ રજૂ કરી હતી. મુશાયરાના અંતમાં જ્યારે એક મહિલાએ આદિલભાઇને કહ્યું કે આ રચના સાંભળીને મને મારું વતન યાદ આવી ગયું અને હું રડી પડી ત્યારે આદિલ મન્સૂરીએ કહ્યું કે બહેન મેં પણ આ રચના રડતા રડતા જ લખી છે.

વિટામિન B12 બનાવતી આ કંપનીએ 6 હજાર ટકા આપ્યું રિટર્ન, એક સમયે 23 રૂપિયા ભાવ
નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ

આ રચના આ પ્રમાણે છે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

શહેરની અનેક સ્મૃતિ સાથે સંકળાયેલા છે નગરજનો

આજે આ  શહેર પશ્ચિમ વિસ્તારમાં વિકસીને એક નવી ઓળખ સાથે આગળ વધ્યું છે, જેમાં બીઆરટીએસથી માંડીને મેટ્રો ટ્રેન ધમધમતી રહે છે અને  એક સમયે મિલાના ભૂંગળાથી  જાગતા ઉંઘતા અમદાવાદમાં મોલ અને ટ્રાફિકનો  કોલાહલ ચાલતો રહે છે.

 

Next Article