AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video : ગુજરાતમાં 63 બ્રિજના સમારકામની આવશ્યકતા, ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યુ સોગંદનામું

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજની સ્થિતિને લઈને રાજ્ય સરકારે સોગંધનામુ રજૂ કર્યુ હતુ. જેમા મોટા સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામની જરૂર છે જે પૈકી 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર હોવાનો ખૂલાસો થયો છે.

Gujarat Video : ગુજરાતમાં 63 બ્રિજના સમારકામની આવશ્યકતા,  ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યુ સોગંદનામું
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 5:30 PM
Share

મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની સ્થિતિને લઈને સુનાવણી ચાલી રહી છે. જેમા હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં જેટલા પણ માઈનોર અને મેજર બ્રિજ આવેલા છે તેની સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સ દ્વારા જે તપાસ કરવામાં આવી છે અને તે જ મામલે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંધનામામાં રજૂઆત કરવામાં આવી છે.  હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મહત્વપૂર્ણ ખૂલાસો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર છે.

રાજ્યમાં 63 બ્રિજને સમારકામની જરૂર. 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર

રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મહત્વની વિગતો સામે આવી છે. જેમા મહાનગર હોય કે પછી નગરપાલિકા વિસ્તાર તેમજ જૂદા જૂદા વિસ્તારોમાં જે પ્રમાણે બ્રિજની સ્થિતિ છે તેનો સોગંધનામામાં વિગત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજ્યમાં 63 બ્રિજ એવા છે જેઓ રિપેરિંગ માગી રહ્યા છે. આ બ્રિજને સમારકામ કરવાની જરૂર છે. આ 63 પૈકી 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે જ્યારે 23 બ્રિજ એવા છે જેમને મહત્તમ મરામતની જરૂર છે.

અમદાવાદમાં કુલ 12 બ્રિજને સમારકામ કરવાની જરૂર

આ ઉપરાંતની અમદાવાદની વાત કરવામાં આવે તો 12 જેટલા બ્રિજ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર છે. સુરતમાં 13 જેટલા બ્રિજ રિપેરિંગ માગી રહ્યા છે. વડોદરામાં 4 બ્રિજ, રાજકોટમાં એક બ્રિજ, અને જૂનાગઢમાં 7 બ્રિજને મરમ્મતની જરૂર છે.

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ નબળા બાંધકામને લઈને વિવાદમાં

અત્રે એ ઉલ્લેખનીય છે કે અમદાવાદને હાટકેશ્વર બ્રિજ પણ તેના નબળા બાંધકામને લઈને ઘણો વિવાદમાં આવ્યો છે. આ નોંધ પણ હાઈકોર્ટમાં આપવામાં આવી છે. શહેરમાં એક બ્રિજ બંધ હોવાની કબૂલાત રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જે પ્રમાણે TV9 ગુજરાતી પણ છેલ્લા કેટલાય દિવસોથી સતત અભિયાન ચલાવી રહ્યુ છે. તે હાટકેશ્વર બ્રિજમાં ઘણી વિગતો સામે આવેલી છે. તે પ્રમાણે અત્યારે મહત્વની જાણકારી મળી રહી છે. સમગ્ર રાજ્યનો બ્રિજનો રિપોર્ટ છે ગુજરાત હાઈકોર્ટમાં મુકવામાં આવ્યો.

આ પણ વાંચો: Gujarati Video: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે AMCને કરી તાકીદ, ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રાખવા આદેશ

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજને છેલ્લા 6 મહિનાથી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ નિર્માણ પામ્યા બાદ પાંચ જ વર્ષમાં આ પ્રકારની દુર્દશા સામે આવી છે જે એ વાતની સાબિતી આપે છે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરવામાં આવ્યુ હશે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">