AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા ન્યૂઝ, 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સ્વૈચ્છિક કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા ન્યૂઝ, 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 2:55 PM
Share

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજભવનમાં રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ટ્રસ્ટીમંડળની બેઠક મળી હતી. જેમા આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવાનો નિયમ રદ કરવાનો અને હોસ્ટેલ મરજિયાત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ તેમના અધ્યક્ષસ્થાને મંડળની બીજી બેઠક મળી હતી. કુલપતિ અને કુલનાયક ઉપરાંત 14 ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠના અમદાવાદ સહિતના ત્રણેય કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ 2007માં વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનુ ફરજિયાત કરાયુ

વિદ્યાપીઠ દ્વારા વર્ષ 2007માં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનું ફરજિયાત કરાયુ હતુ. આ નિયમને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ પણ ઉઠ્યો હતો અને સમયાંતરે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. હોસ્ટેલને લઈને અનેક પ્રશ્નો પણ વારંવાર સામે આવતા હતા. અંતે 16 વર્ષ બાદ વિદ્યાપીઠે છાત્રાવાસ સ્વૈચ્છિક રાખવાનો ઠરાવ કર્યો છે. હાલ વિદ્યાપીઠની હોસ્ટેલોમાં 2700 વિદ્યાર્થી છે. મંડળની વિવિધ કામગીરી તથા વ્યવસ્થાકીય બાબતો માટે સમીક્ષા સમિતિની રચના કરી તેના ચેરમેન તરીકે ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલને મુકાયા છે અને સરકાર સમર્થિત અન્ય સભ્ય દિલીપ ઠાકર તથા મંડળના બે જૂના સભ્યોને કમિટીમાં મુકાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ ગાનનું કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું લોકાર્પણ

સ્થાનિક વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ

ફરજિયાત હોસ્ટેલના નિયમને કારણે અમદાવાદમાં જ રહેતા હોય અને વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડતી હતી. આ નિયમને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને વિના કારણ હોસ્ટેલની ફી ભરી હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. હવે ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ થતા સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">