ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા ન્યૂઝ, 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સ્વૈચ્છિક કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા ન્યૂઝ, 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 2:55 PM

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજભવનમાં રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ટ્રસ્ટીમંડળની બેઠક મળી હતી. જેમા આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવાનો નિયમ રદ કરવાનો અને હોસ્ટેલ મરજિયાત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ તેમના અધ્યક્ષસ્થાને મંડળની બીજી બેઠક મળી હતી. કુલપતિ અને કુલનાયક ઉપરાંત 14 ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠના અમદાવાદ સહિતના ત્રણેય કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ 2007માં વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનુ ફરજિયાત કરાયુ

વિદ્યાપીઠ દ્વારા વર્ષ 2007માં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાનું ફરજિયાત કરાયુ હતુ. આ નિયમને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ પણ ઉઠ્યો હતો અને સમયાંતરે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. હોસ્ટેલને લઈને અનેક પ્રશ્નો પણ વારંવાર સામે આવતા હતા. અંતે 16 વર્ષ બાદ વિદ્યાપીઠે છાત્રાવાસ સ્વૈચ્છિક રાખવાનો ઠરાવ કર્યો છે. હાલ વિદ્યાપીઠની હોસ્ટેલોમાં 2700 વિદ્યાર્થી છે. મંડળની વિવિધ કામગીરી તથા વ્યવસ્થાકીય બાબતો માટે સમીક્ષા સમિતિની રચના કરી તેના ચેરમેન તરીકે ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલને મુકાયા છે અને સરકાર સમર્થિત અન્ય સભ્ય દિલીપ ઠાકર તથા મંડળના બે જૂના સભ્યોને કમિટીમાં મુકાયા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ ગાનનું કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું લોકાર્પણ

સ્થાનિક વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ

ફરજિયાત હોસ્ટેલના નિયમને કારણે અમદાવાદમાં જ રહેતા હોય અને વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડતી હતી. આ નિયમને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને વિના કારણ હોસ્ટેલની ફી ભરી હોસ્ટેલમાં રહેવુ પડતુ હતુ. હવે ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ થતા સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">