AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાહન ચાલકો સાવધાન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન, ટ્રાફિક ડ્રાઈવના નામે પરિપત્ર કરાયો

આઈજીપીએ પરિપત્રમાં અમ જણાવ્યું છે કે રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં બહાર આવ્યું છે કે રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરતા વધારે લોકોના મોત થયાં છે. જોકે નિયંત્રણો હળવા હતાં ત્યારે મોતની સંખ્યા વધી કે ઘટી તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

વાહન ચાલકો સાવધાન,  હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન, ટ્રાફિક ડ્રાઈવના નામે પરિપત્ર કરાયો
વાહન ચાલકો સાવધાન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો દં ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 5:22 PM
Share

વાહનચાલકો (Drivers) પાસેથી દંડ ઉધરાવવીને સરકાર કરોડો રૂપિયાની કમાણી કરી હતી છે. કોરોના કાળમાં હેલ્મેટ (helmet) અને સિટ બેલ્ટ (seat belt) ન પહેરનાર પાસેથી દંડ લેવાનું ઓછું કરાયા બાદ હવે ફરીથી આ દંડ ઉધરાવાનું શરૂ કરવાની તૈયારી થઈ ગઈ છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર (circular) કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવ (Traffic Drive) ના નામે વાહનચાલકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા સુચના આપી છે.

કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડીને સરકારે મબલખ કમાણી કરી લીધી હતી. હવે કોરોના ઓછો થતાં માસ્ક પરનો દંડ રદ કરવાની માગણીઓ થી રહી છે ત્યારે આ આવક બંધ થાય તે પહેલાં જ હવે પોલીસે કમાણી કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે અને કાયદાના બહાને સામાન્ય નાગરિકોને દંડીને કરોડો રૂપિયા ભેગા કરી લેશે.

રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવ ચલાવીને વાહનચાલકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જીલ્લાના વડાઓને સુચના આપી છે.

આઇજીપી પિયુષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામા આવ્યુ છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહી પહેરતા વધારે લોકોના મોત થયાં છે અથવા તો ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મુકવામા આવ્યો છે. રાજ્યના તમામ શહેરો અને જીલ્લાની કરવામાં આવેલ કામગીરીની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજા જ દિવસે આપી દેવાનો હુકમ કરવામા આવ્યો છે. તેમજ ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવો તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.

આઈજીપીએ પરિપત્રમાં અમ જણાવ્યું છે કે રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં બહાર આવ્યું છે કે રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરતા વધારે લોકોના મોત થયાં છે. જોકે કોરોના કાળામાં આ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા તે સમયગાળામાં આ પ્રકારે થતાં મોતની સંખ્યામાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના નામે સામાન્ય નાગરિકો પાસે પોલીસ તોડપાણી પણ ઘટનાઓ બનતી હોય છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામા આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે. તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામા આવે છે.

આ પણ વાંચોઃ  ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ કિવમાં ફાયરિંગ શરૂ થયું અને સૌરભે યુક્રેન છોડવાનો નિર્ણય લીધો, સૌરભની ચાર દિવસના સંઘર્ષ ગાથા જાણી તમે દ્રવી ઉઠશો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">