AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના મોટા મંદિરોમાંથી સરકારી વહીવટ દૂર કરી કરોડો રૂપિયાના દાનની રકમ હિન્દુ ધર્મ માટે વપરાવી જોઇએઃ વીહીપની બેઠકમાં ઠરાવ કરાયો

રાજ્યમાં અત્યારે અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત 32 મંદિરનું સંચાલન ટ્રસ્ટોના હાથમાં છે અને તેના મુખ્ય હોદ્દેદાર સરકારના માણસો છે આથી આ મંદિરોનો વહીવટ સરકાર દ્વારા જ કરાતો ગણાય છે.

રાજ્યના મોટા મંદિરોમાંથી સરકારી વહીવટ દૂર કરી કરોડો રૂપિયાના દાનની રકમ હિન્દુ ધર્મ માટે વપરાવી જોઇએઃ વીહીપની બેઠકમાં ઠરાવ કરાયો
અમદાવાદમાં સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 5:22 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં સરખેજ (Sarkhej)ખાતે આવેલા ભારતી આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ (Viswa hindu parishad) ની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. આ બેઠકમાં પારિત કરાયેલા પ્રસ્તાવોમાં હિંદુ મંદિરોના વહીવટને લઇને મહત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં હિન્દુ મંદિરો (temples) અને ધાર્મિક સંસ્થાઓને સરકારી (government) નિયંત્રણથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે અને તેમાં દાનમાં કરોડો રૂપિયા આવે છે તે ધર્મના કામમાં વાપરવાની અપીલ કરી છે.

રાજ્યમાં અત્યારે અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત 32 મંદિરનું સંચાલન ટ્રસ્ટોના હાથમાં છે અને તેના મુખ્ય હોદ્દેદાર સરકારના માણસો છે આથી આ મંદિરોનો વહીવટ સરકાર દ્વારા જ કરાતો ગણાય છે. આ વહીવટી દૂર કરી દાન પેટે આવતાં કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે કરવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. ઉત્તર ગુજરાતના વિવિધ સંપ્રદાયના સંતોની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં દેશભરના મંદિરોમાંથી સરકારી હસ્તક્ષેપ દૂર કરવાનો કાયદો કેન્દ્રીય સ્તરે બનાવવાની રજૂઆત કરાઈ છે.

વિહિપની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. વિવિધ મંદિરમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ માત્રને માત્ર હિન્દુ સમાજ માટે જ ઉપયોગમાં લેવાય તેવી માગ છે. બેઠકમાં માગણી કરાઈ હતી કે, જે તે મંદિરના સંચાલનની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્તરે સોંપાવી જોઈએ. સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદાર મંદિરના ટ્રસ્ટના મુખ્ય હોદ્દા પર હોવાથી સીધી રીતે સરકારનો વહીવટ હોય છે.

વિહિપે મંદિરના સંચાલન-વહીવટ સામે વાંધો ઉઠાવી માગ કરી છે કે મંદિરનું સંચાલન સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના અગ્રણીને સોંપાય. મોટા મોટા મંદિરોમાં આવતી દાનની રકમ અન્ય ધર્મ માટે ખર્ચાય છે, આ રકમનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિત માટે જ થવો જોઈએ. ગેરકાયદે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની જરૂર છે. જે અનુસૂચિત જનજાતિના લોકો ધર્મ બદલે છે,પરંતુ ઘણાં કિસ્સામાં તેઓ હિન્દુ તરીકેનો લાભ લે છે, જે બંધ થાય તે હેતુથી ધર્માંતરણ મુદ્દે કેન્દ્રીય સ્તરે કાયદો બનાવવો જોઇએ.

આ પણ વાંચોઃ  હરિધામ સોખડા વિવાદઃ કલેક્ટર ઓફિસ બહાર જ બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ

આ પણ વાંચોઃ Surat: ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">