AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘટાડો, 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે.

Ahmedabad: શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘટાડો, 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
Micro containment Zone (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:57 AM
Share

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 12 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે બીજી તરફ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેના કારણે અમદાવાદમાં હવે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 114થી ઘટી 105 થઈ છે.

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. જેને કારણે અમદાવાદમાં પણ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન પણ ઘટી રહ્યા છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં કોરોનાના 12 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા. ગુજરાતમાં કોરોનાના 11,794 કેસ નોંધાયા. પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધારે 33 દર્દીના નિધન થયા. અમદાવાદ શહેરમાં 3990 નવા કેસ સાથે 7 દર્દીના મૃત્યુ થયા. તો વડોદરા શહેરમાં 1816 કેસ સાથે 3 દર્દીના નિધન થયા.

રાજકોટ શહેરમાં 716 નવા કેસ સામે આવ્યા અને 3 દર્દીના મોત થયા. જ્યારે સુરત શહેરમાં 511 કોરોના કેસ સાથે 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. ભાવનગર શહેરમાં 203 નવા કેસ સાથે 4 દર્દીના મોત થતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. મહેસાણામાં કોરોનાના 313 અને પાટણમાં 280 દર્દી નોંધાયા. જ્યારે આણંદ અને વલસાડમાં 151 કેસ સાથે 2-2 દર્દીનાં મોત થયા. રાજ્યમાં 21655 દર્દી સારવાર બાદ સાજા થયા. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી નીચે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 98,021 એક્ટિવ કેસ છે. જે પૈકી 285 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે.

આ પણ વાંચો- ગુજરાત સરકાર 3જી માર્ચે બજેટ રજૂ કરશે, આરોગ્ય સહિતના વિભાગો માટેની જોગવાઈઓમાં વધારો થવાની સંભાવના

આ પણ વાંચો- Morbi: ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાનો કેસઃ હથિયાર આપનાર રાજકોટના અઝીમ સમાનો ભાઈ મોરબીથી પકડાયો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">