Ahmedabad : રાહુલ ગાંધીના પ્રવાસ સમયે કોંગ્રેસને વધુ એક ફટકો,યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ આપ્યુ રાજીનામુ
યુથ કોંગ્રેસ (Youth Congress) પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ મહામંત્રી વિનય સિંહ તોમરે પણ રાજીનામુ આપી દીધુ છે.
રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ગુજરાત પ્રવાસ સમયે ગુજરાત યુથ કોંગ્રેસ (Youth Congress) માં ભંગાણ સર્જાયુ છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ મહામંત્રી વિનયસિંહ તોમરે (Vinay singh tomar) પણ રાજીનામુ આપ્યુ છે. વિનય સિંહને અમિત ચાવડાના ખાસ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે કોંગ્રેસની એક સાંધે, ત્યાં તેર તુટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
નારાજ નેતાઓને મનાવવા રાહુલ ગાંધીની મથામણ
આ વખતે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે,ત્યારે તૂટતી કોંગ્રેસને વધુ તૂટતી અટકાવવા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે. તેઓ ધારાસભ્યો (MLA) સહિત નેતાઓની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરશે.આ સાથે 2022ની ચૂંટણી માટે અલગથી રણનીતિ તૈયાર કરવામાં પણ આવશે.આજે રાહુલગાંધી બુથ સ્તરના કાર્યકરોને પણ માર્ગદર્શન આપશે.
તમને જણાવવુ રહ્યું કે,પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસનુ કામ બોલે છે થીમ રાખવામાં આવી છે.શહેરના સરદાર સરોવર, શ્વેત ક્રાંતિ, શિક્ષણમાં કોંગ્રેસે કરેલા કામના બેનર લગાવવામાં આવી છે.એટલું જ નહીં સરકાર (government) બનશે તો કયા કામ કરશે કોંગ્રેસ તેના પણ બેનર થકી કોંગ્રેસ મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસની કથળતી સ્થિતિ
રાજીનામુ આપતા વખતે વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપ્યુ હતુ કે,ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. સાત પેઈજના પત્રમાં આક્ષેપો સાથે રાજીનામુ આપ્યુ છે. વિશ્વનાથ આગામી સમયમાં ભાજપ(BJP)માં જોડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ફાટફુટ ચાલી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે. અનેક જગ્યાએ આખી પેનલ તૂટી રહી છે. પોતાની રાજકીય જમીન મજબૂત કરવા દિવસેને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા રાજીનામુ પડ્યુ છે.