AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે ગુજરાતમાં, પ્રદેશ હોદ્દેદારો સાથે કરશે બેઠક

કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, ત્યારે ચૂંટણી પહેલા તેમની આ ગુજરાત મુલાકાત મહત્વની સાબિત થઈ શકે છે.

Ahmedabad : કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે ગુજરાતમાં, પ્રદેશ હોદ્દેદારો સાથે કરશે બેઠક
Shashi Tharoor gujarat visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 11:05 AM
Share

આજે લોકસભા સાંસદ અને કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર (Shashi Tharoor)  અમદાવાદ આવશે. જો તેમના વિગતવાર કાર્યક્રમની વાત કરીએ તો બપોરે 3 :00 કલાકેઅમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)  પર તેમનુ આગમન થશે, બપોરે 3:35 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને (Gandhiji)  નમન અને પુષ્પાંજલિ કરશે. તો બપોરે 4 કલાકે તેઓ ગુજરાત કોંગ્રેસ (Congress)  પ્રદેશ ડેલીગેટ સાથે મીટિંગ પણ કરશે.તો સાંજે 4 : 30 કલાકે તેઓ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાત-ચીત કરશે.

ખડગેને સમર્થન આપવા માટે કેટલાક નેતાઓ પર દબાણ – શશિ થરૂર

આ અગાઉ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું હતુ કે આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને(Mallikarjun Kharge) સમર્થન આપવા માટે કેટલાક નેતાઓ પર દબાણ છે. આ તમામ બાબતો મને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર પ્રમુખ પદની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી છે. જોકે થરૂરે આ બાબતો માટે ગાંધી પરિવાર, ખાસ કરીને રાહુલ અને સોનિયા ગાંધીને દોષી ઠેરવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર આ ચૂંટણીને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદના સત્તાવાર ઉમેદવાર તરીકે તેમના વતી કોઈને જાહેર કરી રહ્યા નથી અને સંપૂર્ણપણે નિષ્પક્ષ છે.

તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ પદના અન્ય દાવેદાર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતુ કે, પાર્ટી અધ્યક્ષ પદ માટે શશિ થરૂર સાથેની તેમની સ્પર્ધાનો હેતુ દેશ અને પાર્ટીના ભલા માટે તેમના વિચારો રજૂ કરવાનો છે. ખડગેએ કહ્યું કે આ આંતરિક ચૂંટણી છે. તે એક ઘરના બે ભાઈઓ જેવું છે, જેઓ લડતા નથી, પરંતુ તેમની વાત કરી રહ્યા છે અને એકબીજાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રચારનો હેતુ એ નથી કે કોઈ ચોક્કસ ઉમેદવાર પાર્ટીના અધ્યક્ષ બનશે તો શું કરશે.

(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ) 

Follow Us
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
g clip-path="url(#clip0_868_265)">