AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં જુલાઇ અંત સુધીમાં આ વિસ્તારોમાં બની જશે EV ચાર્જિંગ સ્ટેશન, 30 મિનિટમાં ઇ-વ્હિકલ થઇ જશે ચાર્જ

શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે શહેરમાં નવી નીતિ તૈયાર કરવામાં આવેલી છે. ભારત સરકારની નીતિ અંતર્ગત શહેરમાં ઈલેક્ટ્રિક વાહનને માળખાકીય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાની નીતિ તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદમાં જુલાઇ અંત સુધીમાં આ વિસ્તારોમાં બની જશે EV ચાર્જિંગ સ્ટેશન, 30 મિનિટમાં ઇ-વ્હિકલ થઇ જશે ચાર્જ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 3:37 PM
Share

Ahmedabad : કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ અમદાવાદમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicle) ચાર્જિંગ સ્ટેશન (charging station) ઉભા કરવામાં આવશે. શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે શહેરમાં નવી નીતિ તૈયાર કરવામાં આવેલી છે.

ભારત સરકારની નીતિ અંતર્ગત શહેરમાં ઈલેક્ટ્રિક વાહનને માળખાકીય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાની નીતિ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત જુલાઇ 2023ના અંત સુધીમાં અમદાવાદમાં 12 ઇવી ચાર્જિંગ સ્ટેશન શરુ થઇ જશે.

આ પણ વાંચો- Gujarati Video : સુરેન્દ્રનગરના ઇસ્દ્રા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા,આરોપી ફરાર

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના વિવિધ 24 સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ આ કામગીરીને લીલીઝંડી આપવામાં આવી હતી. હવે અમદાવાદ શહેરમાં જુલાઇના અંત સુધીમાં 12 ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરુ થશે. આ ચાર્જિંગ સ્ટેશન પર 30થી 40 મિનિટમાં વાહનનું સંપૂર્ણ ચાર્જિંગ થશે.

જાણો અમદાવાદના કયા કયા વિસ્તારોમાં બનશે ચાર્જિંગ સ્ટેશન

અમદાવાદ શહેરમાં ઇન્કમ ટેક્સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદનગર, મોટેરા, નરોડા , બાપુનગર, ચાંદખેડા, નિકોલમાં ચાર્જિંગ સ્ટેશન જુલાઇના અંત સુધીમાં બનીને તૈયાર થઇ જશે.

ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે AMC વીજ કનેક્શન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા માટે NOCની મદદ કરશે. ત્રણ વર્ષ માટે ચાર્જિંગ સ્ટેશનના પ્રોપર્ટી અને અન્ય ટેક્સમાંથી મુકિત આપશે. ઇલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન AMCની જગ્યામાં ભાડે લેવામાં આવી હશે, તો ત્રણ વર્ષ બાદ 10 ટકા રેવન્યુ શેરીંગ AMCને કરવાનું રહેશે.

આ પણ વાંચો-Breaking News : અડદ, તુવેર સહિતના ખરીફ પાકોની MSP વધારવા માટે કેબિનેટની મંજૂરી

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર,1200 ફોર વ્હીલર અને 5 હજાર જેટલા થ્રી વ્હિલરનું વેચાણ થયુ છે. ત્યારે હવે આ લોકો ચાર્જિંગ સ્ટેશન પર પોતાના ઇ વ્હિકલ ચાર્જ કરાવી શકશે. ચાર્જિંગ સ્ટેશન પર લોકોને વધુ રાહ ન જોવી પડે તે માટે એપ્લિકેશન દ્વારા સ્લોટ બૂક કરવાની સુવિધા પણ પુરી પડાશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">