Breaking News: સ્ટેટ GST વિભાગના 53 સ્થળોએ દરોડા, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ

State GST Raid: સ્ટેટ GST વિભાગે રાજ્યમાં 53 સ્થળોએ દરોડા કર્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરાઈ છે.

Breaking News: સ્ટેટ GST વિભાગના 53 સ્થળોએ દરોડા, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 8:20 PM

State GST Raid: સ્ટેટ GST વિભાગે રાજ્યમાં 53 સ્થળોએ દરોડા કર્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરાઈ છે. ઇમિગ્રેશન પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈને પૂરી રકમની રિસિપ્ટ નથી આપતી. રોકડમાં મેળવેલી રકમ ચોપડે નહીં દર્શાવી કરચોરી થતી હોવાનો ખુલાસો થયો છે. ઇમિગ્રેશન પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે..આવી પેઢીઓ ફોરેન યુનિવર્સિટી દ્વારા મોટી રકમનું કમિશન પણ મેળવે છે. IELTS જેવી પરીક્ષાઓ માટે ઈમિગ્રેશન પેઢીઓ દ્વારા કોચિંગ પણ અપાય છે.

ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ વિદ્યાર્થીઓને પુરી રકમની રિસિપ્ટ આપતી નથી

સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝ્ડ એનાલિસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે GST વિભાગને ધ્યાને આવ્યુ કે ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે ILTS જેવી પરીક્ષા માટે કોચીંગ આપવામાં આવતુ હોય છે. આ કોચીંગ માટે સેવા આપનાર પેઢીઓ પાસેથી તગડી ફી વસુલતી હોય છે. પરંતુ વસુલવામાં આવતી પુરી રકમની રિસિપ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી.

આવી પેઢીઓને ફોરેન યુનિવર્સિટીઓ દ્વારા મોટી રકમનું કમિશન પણ મળતુ હોય છે.  આ રોકડમાં મેળવેલ આવકો ચોપડે નહીં દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. રાજ્યભરની આવી ઈમિગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા સાથે સંકળાયેલી કુલ 22 પેઢીઓના 53 સ્થળોએ રાજ્યભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

જિલ્લાવાર તપાસ હેઠળના સ્થળોની વિગત

જિલ્લો                                  તપાસ હેઠળના સ્થળોની સંખ્યા અમદાવાદ                                16 મહેસાણા                                  02 વડોદરા                                     24 સુરત                                         06 રાજકોટ                                    05 કુલ                                            53

ઈમીગ્રેશનને લગતી સેવાઓ અને મળેલ ફીની રિસિપ્ટના હિસાબી વ્યવહારો પર વેરાકીય જવાબદારી કાયદાની જોગવાઈ મુજબ અદા કરવામાં આવે છે કે કેમ તે અંગે હિસાબી સાહિત્યની ચકાસણીની કાર્યવાહી શરૂ છે. પ્રાથમિક ચકાસણીમાં બિન હિસાબી રોકડ વ્યવહારોની વિગતો મળી આવી છે.

Input Credit- Sachin Patil- Ahmedabad

આ પણ વાંચો: Breaking News: સ્ટેટ GST વિભાગના 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">