ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારનું આજે 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેની ત્રિદિવસીય ઉજવણી (Celebration) શરૂ કરી દેવાઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યમાં 3 દિવસ સુધી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ પ્રધાનોને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. સાથે જ ભુપેન્દ્ર સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) વર્ચ્યુઅલી જોડાશે. તો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહેશે.
13 સપ્ટેમ્બરે એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા ‘વિશ્વાસથી વિકાસ’ના સૂત્ર હેઠળ એક વર્ષની ઉજવણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યપ્રધાન 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ હેઠળ 4 હજાર 500 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. આવતીકાલે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે અને 15 સપ્ટેમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે ધો. 12 પાસ સુધી જ અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારના રહેવાસી છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના નામથી જાણીતા છે. વર્ષ 2021માં 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નામની જાહેરાત થઈ હતી અને 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યપ્રધાન તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.
Published On - 9:38 am, Tue, 13 September 22