AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રખડતા ઢોર પકડવા AMCની કામગીરી પૂરજોશમાં, જોકે ઢોરવાડામાં વ્યવસ્થાની સ્થિતિ સાવ અલગ

અમદાવાદમાં (Ahmedabad) હવે ઢોર પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઘોર નિંદ્રામાંથી જાગેલા મનપા તંત્રએ હવે ઢોર નિયંત્રણ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપી દીધી છે.

Ahmedabad: રખડતા ઢોર પકડવા AMCની કામગીરી પૂરજોશમાં, જોકે ઢોરવાડામાં વ્યવસ્થાની સ્થિતિ સાવ અલગ
Stray cattle (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 9:05 AM
Share

રખડતા ઢોરના (Stray cattle) ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે (High Court) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) રાત-દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ કર્યો છે. તો આ તરફ અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે. સાથે જ રખડતી ગાયોને પકડવા AMCની મદદ કરવાની પણ પોલીસને જવાબદારી સોંપી છે. ત્યારે અમદાવાદ મનપાની ટીમ હવે રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં કરી રહી છે.

ઢોર નિયંત્રણ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપાઇ

અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરને પકડવા માટે હવે મનપા તંત્ર પૂરજોશમાં કામ કરી રહ્યું છે. હાઈકોર્ટનો આદેશ છે એટલે તેનું પાલન મહાનગરપાલિકાએ સ્વાભાવિક રીતે કરવુ જ પડે. તેથી હવે ઢોર પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઘોર નિંદ્રામાંથી જાગેલા મનપા તંત્રએ હવે ઢોર નિયંત્રણ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપી દીધી છે. આ અધિકારીઓ હવે રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તે અને કામગીરીમાં કેવા સુધારાની જરૂર છે તેનું સતત નિરીક્ષણ કરશે. મનપાએ ત્રણ શિફ્ટમાં 150 જેટલા કર્મચારીઓની 20 જેટલી ટીમને જવાબદારી સોંપી છે. સાથે જ 8 ટીમને બંદોબસ્ત પોઇન્ટની જેમ તહેનાત રહેવા માટેની જવાબદારી સોંપાઈ છે.

TV9 ગુજરાતીની ટીમને ઢોરવાડામાં ન કરવા દેવાયો પ્રવેશ

મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, બાદમાં આ ઢોરને મનપાના ઢોરવાડામાં લઈ જવામાં આવે છે અને રાખવામાં આવે છે. આવો જ એક ઢોરવાડો દાણીલીમડામાં પણ છે. જોકે દાણીલીમડામાં આવેલા ઢોરવાડમાં કેવી વ્યવસ્થા છે તે જોવા માટે જ્યારે ટીવીનાઈનની ટીમ પહોંચી તો ટીમને અંદર પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો. મીડિયાની ટીમ ઢોરવાડમાં પ્રવેશ ન કરે તે માટે ઢોરવાડાના દરવાજા આગળ કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા. જો કે બીજી રીતે તપાસ કરતા જોવા મળ્યું કે ઢોરવાડામાં રાખવામાં આવેલા કેટલાક પશુઓ બીમાર હતા. આ દ્રશ્યો અને ઢોરવાડાની પોલ ખુલ્લી ન પડે તે માટે મીડિયાને પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">