Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે

AMTS દ્વારા 6થી 8 વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો (Private operators) પાસેથી 118 નોન એસી સીએનજી મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે ચલાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 આઈસર બસ અને 47 ટાટા મેઈક બસ ખરીદવામાં આવશે.

Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે
AMTS continuously making loss (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 7:34 AM

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન સંચાલિત AMTS છેલ્લા ઘણા સમયથી ખોટ કરી રહી છે. AMTSને છેલ્લા 9 મહિનામાં 238 કરોડની ખોટ ગઈ છે. છતાં પણ AMTSનું તંત્ર ખાનગી ઓપરેટરો ઉપર મહેરબાન હોય તેવુ જોવા મળી રહ્યુ છે. કરોડોના નુકસાન છતાં પણ તંત્ર દ્વારા 118 મીડીબસ ખરીદવામાં આવશે. કોર્પોરેશન (Corporation) જાતે એએમટીએસ ચલાવવાને બદલે ખાનગી ઓપરેટરોને બસો સોંપી કરોડોની ખોટ ખાય છે. ત્યારે વિપક્ષે એએમસી દ્વારા ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદની લાઈફ લાઇન ગણાતી AMTS વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. વર્ષ 2021ના 9 મહિનામાં AMTSને 281 કરોડનો ખર્ચ થયો છે. 281 કરોડના ખર્ચ સામે આવક માત્ર 43 કરોડની થઈ છે. આમ 9 મહિનામાં AMTSને 238 કરોડનું નુકસાન થયુ છે. કરોડોના નુકસાન છતાં AMTS દ્વારા નવી 118 મીડી CNG બસની ખરીદી કરાશે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે નવી બસો ખાનગી ઓપરેટરોને પ્રતિ કીલોમીટર 45 રૂપિયાથી વધુનો ભાવ ચૂકવી ઓપરેટરોને ફાયદો કરાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

AMTS દ્વારા 6થી 8 વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો પાસેથી 118 નોન એસી સીએનજી મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે ચલાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 આઈસર બસ અને 47 ટાટા મેઈક બસ ખરીદવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ રોડ ઉપર હાલમાં ખાનગી ઓપરેટરોની 600થી વધુ બસ દોડાવાઈ રહી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMTS ખાનગી ઓપરેટરો માટે નહીં પણ મુસાફરો માટે ચલાવવામાં આવે છે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવા મોટાભાગે ખોટમાં જ ચાલતી હોય છે.

હાલ AMTS દ્વારા ખાનગી ઓપરેટરોને પ્રતિ કિલોમીટર 42 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં તેનાથી પણ વધુ ભાવ પ્રતિ કિલોમીટર ઓપરેશન અને મેઈન્ટેઈનન્સ સાથે આપવામાં આવશે. આમ એક સમયે નફા સાથે દોડતી AMTS ખાનગી ઓપરેટરોના લાભાર્થે દોડાવવામાં આવતી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કપરી આર્થિક પરિસ્થિતિ તથા દેવાના ડુંગર હેઠળ દબાયેલી AMTS મુસાફરોને ધ્યાનમાં રાખી સવલત આપવાના બદલે ખાનગી ઓપરેટરોને લાભ કઈ રીતે મળે એ બાબતને અગ્રીમતા અપાઈ રહી છે.

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન મંજૂર, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો-Ahmedabad: અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા AAP માં મોટું ભંગાણ, 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">