AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે

AMTS દ્વારા 6થી 8 વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો (Private operators) પાસેથી 118 નોન એસી સીએનજી મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે ચલાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 આઈસર બસ અને 47 ટાટા મેઈક બસ ખરીદવામાં આવશે.

Ahmedabad: ખોટ થવા છતા પણ AMTS કરી રહી છે ખર્ચા, નવી 118 મીડી CNG બસ ખરીદાશે
AMTS continuously making loss (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 7:34 AM
Share

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન સંચાલિત AMTS છેલ્લા ઘણા સમયથી ખોટ કરી રહી છે. AMTSને છેલ્લા 9 મહિનામાં 238 કરોડની ખોટ ગઈ છે. છતાં પણ AMTSનું તંત્ર ખાનગી ઓપરેટરો ઉપર મહેરબાન હોય તેવુ જોવા મળી રહ્યુ છે. કરોડોના નુકસાન છતાં પણ તંત્ર દ્વારા 118 મીડીબસ ખરીદવામાં આવશે. કોર્પોરેશન (Corporation) જાતે એએમટીએસ ચલાવવાને બદલે ખાનગી ઓપરેટરોને બસો સોંપી કરોડોની ખોટ ખાય છે. ત્યારે વિપક્ષે એએમસી દ્વારા ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદની લાઈફ લાઇન ગણાતી AMTS વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. વર્ષ 2021ના 9 મહિનામાં AMTSને 281 કરોડનો ખર્ચ થયો છે. 281 કરોડના ખર્ચ સામે આવક માત્ર 43 કરોડની થઈ છે. આમ 9 મહિનામાં AMTSને 238 કરોડનું નુકસાન થયુ છે. કરોડોના નુકસાન છતાં AMTS દ્વારા નવી 118 મીડી CNG બસની ખરીદી કરાશે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે નવી બસો ખાનગી ઓપરેટરોને પ્રતિ કીલોમીટર 45 રૂપિયાથી વધુનો ભાવ ચૂકવી ઓપરેટરોને ફાયદો કરાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

AMTS દ્વારા 6થી 8 વર્ષના સમય માટે ખાનગી ઓપરેટરો પાસેથી 118 નોન એસી સીએનજી મીડી બસ ડ્રાઈવર અને કંડકટર સાથે ચલાવવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવવામાં આવી છે. આ બસ પૈકી 71 આઈસર બસ અને 47 ટાટા મેઈક બસ ખરીદવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ રોડ ઉપર હાલમાં ખાનગી ઓપરેટરોની 600થી વધુ બસ દોડાવાઈ રહી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMTS ખાનગી ઓપરેટરો માટે નહીં પણ મુસાફરો માટે ચલાવવામાં આવે છે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવા મોટાભાગે ખોટમાં જ ચાલતી હોય છે.

હાલ AMTS દ્વારા ખાનગી ઓપરેટરોને પ્રતિ કિલોમીટર 42 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં તેનાથી પણ વધુ ભાવ પ્રતિ કિલોમીટર ઓપરેશન અને મેઈન્ટેઈનન્સ સાથે આપવામાં આવશે. આમ એક સમયે નફા સાથે દોડતી AMTS ખાનગી ઓપરેટરોના લાભાર્થે દોડાવવામાં આવતી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કપરી આર્થિક પરિસ્થિતિ તથા દેવાના ડુંગર હેઠળ દબાયેલી AMTS મુસાફરોને ધ્યાનમાં રાખી સવલત આપવાના બદલે ખાનગી ઓપરેટરોને લાભ કઈ રીતે મળે એ બાબતને અગ્રીમતા અપાઈ રહી છે.

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન મંજૂર, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો-Ahmedabad: અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા AAP માં મોટું ભંગાણ, 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">