Ahmedabad: અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા AAP માં મોટું ભંગાણ, 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે

હોદ્દેદારોના રાજીનામા અંગે પ્રદેશ AAP દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. રાજુ કરપડાએ (Raju karpada) સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે કોંગ્રેસમાં જોડાનાર તમામને AAP પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 6:53 PM

વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે તેમ પક્ષ પલટાની ઋતુ શરુ થઇ ગઇ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં (congress) જોડાશે તેવી માહિતી છે. જેના પગલે AAPનું આખું કિશાન સંગઠન વિખેરાઇ જશે. AAP ના પ્રવિણ ઘોરી, કેયુર પટેલ સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે. એક તરફ આપ નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પક્ષને મજબુત બનાવવા વધુ એક વખત ગુજરાત આવવાનું આયોજન બનાવી રહ્યા છે. જો કે તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ પડ્યુ છે.

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળ્યા બાદ હવે આપનું મિશન ગુજરાત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર આવી ગયા છે. ત્યારે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાના અંત સુધી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે. કેજરીવાલની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ ફરી ગુજરાત મુલાકાતે આવવાના છે. જો કે તેમની આ મુલાકાત પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે. આ તમામ કાર્યકરો હવે કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા છે.

AAP ના પ્રવિણ ઘોરી, કેયુર પટેલ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાશે. અમરેલી, રાજકોટ, પાટણ, ભાવનગર, જામનગર અને નર્મદા જિલ્લાના AAPના કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખો પણ કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે. તો બીજી તરફ હોદ્દેદારોના રાજીનામા અંગે પ્રદેશ AAP દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. રાજુ કરપડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે કોંગ્રેસમાં જોડાનાર તમામને AAP પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, ઘટનાના 63 દિવસમાં સજા સંભળાવાશે

આ પણ વાંચોઃ Ahmedabad: વહેલી સવારે ધુમ્મસ છવાયું, રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા નહિવત્

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">