AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં (Standing Committee Meeting) નિર્ણય કરાયો છે કે શહેરમાં 58 નવા ચાર્જિંગ સ્ટેશન (Charging station) બનાવવામાં આવશે. 58 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનવવાની જગ્યા નક્કી કરવામાં આવી છે.

Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત
charging station (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:11 AM
Share

અમદાવાદમાં (Ahmedabad) શહેરીજનો ઈલેક્ટ્રિક વાહન (Electric vehicle) તરફ વળી રહ્યા છે અને એએમસી (AMC) પણ ઈચ્છે છે કે વાહનચાલકોને સુવિધા મળે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂઆતમાં જે 8 ચાર્જિંગ પોઈન્ટ શરૂ કર્યા એ હવે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો દાવો એએમસી કરી રહી છે. જો કે હાલમાં અમદાવાદમાં હયાત ચાર્જિંગ સ્ટેશન જ બંધ હાલતમાં છે. ત્યારે નવા ચાર્જિંગ સ્ટેશન બનશે તો તેની સ્થિતિ શું હશે તે એક સવાલ છે.

એકતરફ મોંઘવારીનો ડામ લોકોને ઝટકો આપી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે કોર્પોરેશને શરૂ કરેલા 8 જેટલા ચાર્જિંગ પોઈન્ટ ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેશનની બેદરકારીને પગલે કાંકરિયા પાસે બે સ્થળે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પાવર વિના બંધ હાલતમાં છે. જેને પગલે લોકો પણ તેનો લાભ લઈ શકતા નથી.

એએમસીનું સપનું છે કે શહેરમાં 300 જેટલા ચાર્જિંગ સ્ટેશન બને. જો કે પહેલા શરુ કરેલા 8 ચાર્જિંગ સ્ટેશન જ હાલ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નવાની શું સ્થિતિ થશે એ તો જોવાનું જ રહેશે. કારણકે હાલના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અને કિડ્સ સિટી પાસેના ચાર્જિંગ સ્ટેશન ક્યારે શરૂ થશે તે સવાલ પર કોર્પોરેશન સંચાલન કરનાર કંપનીને ખો આપી રહી છે.

તો બીજીબાજુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે કે શહેરમાં 58 નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. 58 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનવવાની જગ્યા નક્કી કરવામાં આવી છે. ટોરેન્ટ પાવર મળે તે માટેનું આયોજન કરવામાં આવશે. જોકે આ કાર્યવાહીમાં પણ 6 મહિના નિકળી જશે. અમદાવાદ શહેરમાં બંધ હાલતમાં જોવા મળતા આ ચાર્જિંગ સ્ટેશન જોતા આરંભે શૂરા ગુજરાતીની કહેવત સાચી પડી રહી છે. ત્યારે શહેરીજનોને ક્યારે 300 ચાર્જિંગ સ્ટેશન જોવા મળશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ, કર્યા આ અવલોકનો

આ પણ વાંચો : અમદાવાદ : રાણીપ- ન્યુ રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ જ રસ્તો ખુલ્લો મુક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">