AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં (Standing Committee Meeting) નિર્ણય કરાયો છે કે શહેરમાં 58 નવા ચાર્જિંગ સ્ટેશન (Charging station) બનાવવામાં આવશે. 58 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનવવાની જગ્યા નક્કી કરવામાં આવી છે.

Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત
charging station (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:11 AM
Share

અમદાવાદમાં (Ahmedabad) શહેરીજનો ઈલેક્ટ્રિક વાહન (Electric vehicle) તરફ વળી રહ્યા છે અને એએમસી (AMC) પણ ઈચ્છે છે કે વાહનચાલકોને સુવિધા મળે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂઆતમાં જે 8 ચાર્જિંગ પોઈન્ટ શરૂ કર્યા એ હવે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો દાવો એએમસી કરી રહી છે. જો કે હાલમાં અમદાવાદમાં હયાત ચાર્જિંગ સ્ટેશન જ બંધ હાલતમાં છે. ત્યારે નવા ચાર્જિંગ સ્ટેશન બનશે તો તેની સ્થિતિ શું હશે તે એક સવાલ છે.

એકતરફ મોંઘવારીનો ડામ લોકોને ઝટકો આપી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે કોર્પોરેશને શરૂ કરેલા 8 જેટલા ચાર્જિંગ પોઈન્ટ ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેશનની બેદરકારીને પગલે કાંકરિયા પાસે બે સ્થળે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પાવર વિના બંધ હાલતમાં છે. જેને પગલે લોકો પણ તેનો લાભ લઈ શકતા નથી.

એએમસીનું સપનું છે કે શહેરમાં 300 જેટલા ચાર્જિંગ સ્ટેશન બને. જો કે પહેલા શરુ કરેલા 8 ચાર્જિંગ સ્ટેશન જ હાલ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નવાની શું સ્થિતિ થશે એ તો જોવાનું જ રહેશે. કારણકે હાલના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અને કિડ્સ સિટી પાસેના ચાર્જિંગ સ્ટેશન ક્યારે શરૂ થશે તે સવાલ પર કોર્પોરેશન સંચાલન કરનાર કંપનીને ખો આપી રહી છે.

તો બીજીબાજુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે કે શહેરમાં 58 નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. 58 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનવવાની જગ્યા નક્કી કરવામાં આવી છે. ટોરેન્ટ પાવર મળે તે માટેનું આયોજન કરવામાં આવશે. જોકે આ કાર્યવાહીમાં પણ 6 મહિના નિકળી જશે. અમદાવાદ શહેરમાં બંધ હાલતમાં જોવા મળતા આ ચાર્જિંગ સ્ટેશન જોતા આરંભે શૂરા ગુજરાતીની કહેવત સાચી પડી રહી છે. ત્યારે શહેરીજનોને ક્યારે 300 ચાર્જિંગ સ્ટેશન જોવા મળશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ, કર્યા આ અવલોકનો

આ પણ વાંચો : અમદાવાદ : રાણીપ- ન્યુ રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ જ રસ્તો ખુલ્લો મુક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">