AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ભગવાન જગન્નાથના નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં, 4 મહિનામાં રથ બનીને થઇ જશે તૈયાર

Ahmedabad News : જૂના રથની ડિઝાઇનમાં નજીવા ફેરફાર સાથે નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની મજબૂતાઈને ધ્યાને લઈને મંદિર તંત્ર અને રથ બનાવનાર જયંતિ સુથાર દ્વારા ડિઝાઇનમાં વધારે ફેરફાર નથી કરાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 5:19 PM
Share

આગામી જૂન મહિનામાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક અને અનન્ય બની રહેશે. અમદાવાદમાં આગામી રથયાત્રામાં જગતના નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમના નવા રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નીકળશે. જગન્નાથજી મંદિરમાં નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નવા ત્રણેય રથના નિર્માણ માટે 400 ઘનફૂટ સાગ અને 150 ઘનફૂટ સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા રથની ડિઝાઇન અને સાઇઝ મંદિરની પરંપરા પ્રમાણે રાખવામાં આવશે. છેલ્લા એક મહિનાથી કુલ 10 જેટલા કારીગરો દ્વારા રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી 4 મહિનામાં રથ બનીને તૈયાર થઇ જાય તે પ્રકારનું આયોજન મંદિર વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે રથની ડિઝાઇન

જૂના રથની ડિઝાઇનમાં નજીવા ફેરફાર સાથે નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની મજબૂતાઈને ધ્યાને લઈને મંદિર તંત્ર અને રથ બનાવનાર જયંતિ સુથાર દ્વારા ડિઝાઇનમાં વધારે ફેરફાર નથી કરાયો. જોકે તેમનો દાવો છે કે આ રથ એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે કે 80 વર્ષ સુધી તેને કંઈ જ નહીં થાય. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઇ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે. જુના રથની ડિઝાઇનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળશે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.

ભક્તોની સુવિધા માટે નવા રથનું નિર્માણ

નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે. રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવશે. સાથે જ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઇ શકે તેવી રીતે બનાવાશે. ભક્તો ગમે તેટલા દૂર હોય રે રથયાત્રાના રુટ પર પોતાના મકાનની છત પરથી પણ જો રથયાત્રા નિહાળતા હોય તો સરળતાથી તે દર્શન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા રથમાં બનાવવામાં આવશે.

મહત્વનું છે કે 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે તે જૂના રથ છે તેના દ્વારા જ રથ યાત્રા નીકાળવામાં આવે છે. પણ હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">