ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસને (Vande Bharat Express ) અમદાવાદ નજીકના મણિનગરથી વટવા જતા રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત (accident) નડ્યો હતો. આ અકસ્માત ભેંસ વચ્ચે આવી જતા થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. જોકે અકસ્માત બાદ ટ્રેનના તૂટેલા ભાગનું સમારકામ કરીને તેના નિશ્ચિત ગંતવ્ય સ્થાને જવા માટે રવાના કરવામાં આવી હતી. નોંધનીય છે કે તાજેતરમાં 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી ફરકાવીને રવાના કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી મુસાફરી પણ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર ટ્રેન જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ચાર ભેંસો રેલ્વે ટ્રેકની અંદર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો જોકે ટ્રેનને તાત્કાલિક સમારકામ કરાવીને આગળ રવાના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન સેવાને કોઈ અસર પહોંચી નથી.
જોકે આ અકસ્માત જોતા એવી આશંકા સેવાઈ રહી છે કે રખડતા ઢોર આ રીતે રેલ્વે ટ્રેકમાં આવી જવાની ઘટના ભવિષ્ટમાં પણ બની શકે છે ત્યારે રેલ્વે ટ્ેક ફરતો કોટ બનાવવાની અનિવાર્ય જરૂરિયાત લાગી રહી છે.
રેલ્વે વિભાગ (Indian Railway) દ્વારા ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના (Vande Bharat Express train) પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન નંબર 20902/20901 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચલાન સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ Vande Bharat Express ગાંધીનગરથી બપોરે 14:05 વાગ્યે ઊપડીને 14:45 વાગ્યે અમદાવાદ, 15:50 વાગ્યે વડોદરા, 17:23 વાગ્યે સૂરત અને 20:15 વાગ્યે મુંબઇ પહોંચશે.
ટ્રેન નંબર 20901 મુંબઇ-સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી સવારે 06:10 વાગ્યે ઊપડશે અને 08:50 વાગ્યે સૂરત, 10:10 વાગ્યે વડોદરા, 11:25 વાગ્યે અમદાવાદ અને 12:25 વાગ્યે ગાંધીનગર પહોંચશે.