Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન
Ahmedabad: Today Gujarat's co-operative societies have created a unique identity: Chief Minister (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:31 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન

Ahmedabad:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)અસલાલી (Asalali)ખાતે સહકારી મંડળીના (Co-operative society) નવા ભવનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, અસલાલી સહકારી મંડળીનું આ નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનવાનું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અસલાલીની સહકારી મંડળી જેવી અનેક મંડળીઓની સિદ્ધિઓ જ ગુજરાતના સહકારી ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના પશુપાલકો અને દૂધ સંઘોને ઉપયોગી વિવિધ સરકારી સહાયથી આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે, જે આપણા સૌ માટે એક આનંદ અને ગૌરવની વાત છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે, વડાપ્રધાનની પ્રેરણા, પ્રયાસ અને આહવાનથી આજે સહકારી ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે, નરેન્દ્રભાઈ જાણતા હતા કે સહકારી ક્ષેત્ર મજબૂત હશે તો રાજ્ય પણ મજબૂત બનશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

આ અવસરે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આઝાદીનાં ૭૫ વર્ષ બાદ દેશમાં જે સહકાર વિભાગની જરૂરિયાત હતી એ સહકાર વિભાગ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શરૂ કરાવીને ‘સહકારથી સમૃદ્ધિ’ તરફની એક નવી દિશા આપી છે.

મંત્રીએ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે સહકારી મંડળી તરફથી નવા ઇનોવેટિવ આઇડિયા લાવવાનો પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઘનશ્યામભાઈ અમીને જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં સહકારી ક્ષેત્રના અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રને વધુ ને વધુ આગળ દોરી જશે.

આ અવસરે સ્વાગત પ્રવચનમાં ધી અસલાલી સેવા સહકારી મંડળીના ડિરેક્ટર અજીતભાઇ પટેલે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ વિશે વિસ્તૃતમાં વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે ‘મારું જીવન અંજલિ થાજો’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે ‘મહા મેગા મેડિકલ ચેકઅપ’ કેમ્પનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, અસલાલી સેવા સહકારી મંડળીના સદસ્યો અને સહકારી અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">