Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન
Ahmedabad: Today Gujarat's co-operative societies have created a unique identity: Chief Minister (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:31 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન

Ahmedabad:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)અસલાલી (Asalali)ખાતે સહકારી મંડળીના (Co-operative society) નવા ભવનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, અસલાલી સહકારી મંડળીનું આ નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનવાનું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અસલાલીની સહકારી મંડળી જેવી અનેક મંડળીઓની સિદ્ધિઓ જ ગુજરાતના સહકારી ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના પશુપાલકો અને દૂધ સંઘોને ઉપયોગી વિવિધ સરકારી સહાયથી આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે, જે આપણા સૌ માટે એક આનંદ અને ગૌરવની વાત છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે, વડાપ્રધાનની પ્રેરણા, પ્રયાસ અને આહવાનથી આજે સહકારી ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે, નરેન્દ્રભાઈ જાણતા હતા કે સહકારી ક્ષેત્ર મજબૂત હશે તો રાજ્ય પણ મજબૂત બનશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

આ અવસરે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આઝાદીનાં ૭૫ વર્ષ બાદ દેશમાં જે સહકાર વિભાગની જરૂરિયાત હતી એ સહકાર વિભાગ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શરૂ કરાવીને ‘સહકારથી સમૃદ્ધિ’ તરફની એક નવી દિશા આપી છે.

મંત્રીએ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે સહકારી મંડળી તરફથી નવા ઇનોવેટિવ આઇડિયા લાવવાનો પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઘનશ્યામભાઈ અમીને જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં સહકારી ક્ષેત્રના અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રને વધુ ને વધુ આગળ દોરી જશે.

આ અવસરે સ્વાગત પ્રવચનમાં ધી અસલાલી સેવા સહકારી મંડળીના ડિરેક્ટર અજીતભાઇ પટેલે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ વિશે વિસ્તૃતમાં વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે ‘મારું જીવન અંજલિ થાજો’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે ‘મહા મેગા મેડિકલ ચેકઅપ’ કેમ્પનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, અસલાલી સેવા સહકારી મંડળીના સદસ્યો અને સહકારી અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">